Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

રાજ્યની દીકરીઓને અભ્યાસ કરવા માટે ચાલીને શાળાએ જવું ન પડે એ માટે અમલી કરેલી ‘સરસ્વતી સાધના યોજના’ લાખો પરિવારો માટે આશીર્વાદરૂપ: મંત્રી શ્રી હર્ષ સંઘવી



સાયકલની ગુણવત્તા અને તેમાં આપવામાં આવેલી સુવિધામાં કોઈ પણ ક્ષતિ રહી ન જાય તે માટે ટેકનિકલ અને ફીજીકલ ઇન્સ્પેક્શનને વધારે વિસ્તૃત કરવામાં આવ્યું

(જી.એન.એસ) તા. 27

ગાંધીનગર,

સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ આપવા બાબતે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નનો સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી તરફથી જવાબ આપતા મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યની દીકરીઓને અભ્યાસ કરવા માટે ઘર અને શાળાએ અવર-જવર કરવામાં અગવડતા ન પડે અને ચાલીને શાળાએ જવું ન પડે એ માટે અમલી કરેલી સરસ્વતી સાધના યોજના લાખો પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં ધોરણ-૯માં અભ્યાસ કરતી રાજ્યની ૭,૯૩,૧૨૨ દીકરીઓને સાયકલ આપવામાં આવી છે.

સાયકલ વિતરણના વિલંબ અંગે પૂછાયેલા પૂરક પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, સાયકલની ગુણવત્તા અને તેમાં આપવામાં આવેલી સુવિધામાં કોઈ પણ ક્ષતિ રહી ન જાય તેમજ ગુણવત્તા સંદર્ભે સાયકલ માટે નિર્ધારિત કરેલા ધારા ધોરણો ચુસ્તપણે જળવાઈ રહે તે માટે ટેકનિકલ અને ફીજીકલ ઇન્સ્પેક્શનને વધારે વિસ્તૃત કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ખૂબ વધારે વરસાદ વરસતા સાયકલોમાં લાગેલા કાટને દૂર કરવા કલર કોટિંગ કરી તેને પુનઃ નવી સ્થિતિમાં લાવીને સાયકલ આપી વધુ યોગ્ય હોવાથી વહીવટી કારણોસર સાયકલ વિતરણ પ્રક્રિયામાં વિલંબ થયો છે. એટલું જ નહીં, આવનારા સમયમાં સમયસર સાઇકલ મળી રહે તે રીતે આખી સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.

અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાતમાં આ સાયકલની ખરીદ કિંમતના ફેરફાર બાબતે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા મંત્રીશ્રીએ કહ્યું કે, અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં ખરીદાયેલી આ સાયકલમાં વધારાની સુવિધાઓ ઉમેરવામાં આવી છે. દીકરીઓ પોતાની બેગ મૂકી શકે તે માટે સાયકલમાં બાસ્કેટની સુવિધા ઉમેરવામાં આવી છે. તે ઉપરાંત સાયકલની મજબૂતી અને ટકાઉપણામાં વધારો કરવા માટે બ્રાસ નિપલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દીકરીઓની સલામતીના હેતુ માટે આઈએસઆઈના માર્કા વાળા રિફ્લેકટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, સાયકલમાં બેસવા માટેની સીટને વધારે સોફ્ટ બનાવવા માટે ડબલ સ્પંચ ફીટ રાખવામાં આવી છે. તેના કારણે ખરીદ કિંમતમાં સામાન્ય ફેરફાર છે.

મંત્રીશ્રીએ સ્પષ્ટતા સાથે ઉમેર્યું કે, ગુજરાત વિધાનસભાના નિયમો મુજબ પ્રશ્ન રદ થવા પાત્ર હતો તેમ છતાં તમામ સભ્યો મારફતે રાજ્યના પ્રત્યેક નાગરિકો સુધી યોગ્ય અને સાચી માહિતી પહોંચી શકે તે માટે પ્રશ્નનો સ્વીકાર કરીને જવાબ આપવામાં આવ્યો છે અને રાજ્ય સરકાર તમામ જવાબો આપવા કટિબધ્ધ છે.

संबंधित पोस्ट

ગુજરાતમાં મુસ્લિમ પરિવારે હિન્દુ બ્રાહ્મણ કન્યાનું ધામધૂમથી મામેરું ભરી માનવતા અને એકતાની મહેક પસરાવી

Admin

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવસારી ખાતે નિરાલી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને એ.એમ.નાયક હેલ્થકેર કેમ્પસનું ઉદ્દઘાટન કર્યું જે પ્રસંગે પૂર્ણશ મોદી ઉપસ્થિત રહ્યા

Karnavati 24 News

પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ધંધુકા તાલુકામાં પાણીલક્ષી વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરાયું

Gujarat Desk

ચેરમેન ઉપર કોંગ્રેસના કિરીટ પટેલ તેમજ દશરથ પટેલ દ્વારા ભરતી કૌભાંડ સહિત ગાંધીનગરમાં પ્લોટ અને ૮ કરોડ જેટલા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતાં દિલીપ સંઘાણીએ સાબરકાંઠામાં આપ્યું નિવેદન

Karnavati 24 News

જૂનાગઢમાં સુભાષ આયુર્વેદિક હોસ્પિટલનુ મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ

Karnavati 24 News

અમરેલી બહાર પરા વિસ્તારમાં ગંદકીના કારણે સ્થાનીકો માં રોષનો માહોલ

Admin
Translate »