Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

23 માર્ચ સુધી પાટીદારો પર થયેલા કેસ પાછા નહી ખેચાય તો ફરી આંદોલન: હાર્દિક પટેલ

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે પત્રકાર પરિષદ કરીને પાટીદારો પર આંદોલન સમયે થયેલા કેસને પાછા ખેચવાની રજૂઆત કરી છે. હાર્દિક પટેલે આ સાથે જ ચિમકી ઉચ્ચારી છે કે 23 માર્ચ પછી પાટીદારો પર થયેલા કેસ પરત ખેચવામાં નહી આવે તો ફરી રાજ્યમાં આંદોલન કરવામાં આવશે.હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસને પરત ખેચવાની માંગ કરી છે. પાટીદાર ધારાસભ્યો અને સાંસદોની મુખ્યમંત્રીને રજૂઆત છતા પણ પાટીદારો સામેના કેસને પરત ખેચવામાં આવ્યા નથી. પાટીદાર અનામત આંદોલનનો બધાને લાભ મળ્યો છે. 6માર્ચે મૃત્યુ પામેલા યુવાનોના પરિવારજનો સાથે સંવાદ કરવામાં આવશે. આગામી 23 માર્ચથી રાજ્યમાં આવેદનપત્ર આપવામાં આવશે. હાર્દિક પટેલે કહ્યુ કે મારા કેસ છોડી બીજા કેસને પરત ખેચો.મહત્વપૂર્ણ છે કે વર્ષ 2015માં રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદારો પર કેસ કરવામાં આવ્યા હતા. સાંસદ મોહન કુંડારિયાએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળીને પાટીદારો પરના કેસને પરત ખેચવાની માંગ કરી હતી. આ સાથે જ સાંસદ રમેશ ધડૂક પણ પાટીદારો પરના કેસને પરત ખેચવાની માંગ અનેક વખત કરી ચુક્યા છે.

संबंधित पोस्ट

ગુજરાત માળખાકીય સુવિધાઓ ઉપરાંત ઈ-ગવર્નન્સ ક્ષેત્રે પણ અન્યો માટે દીવાદાંડી સમાન: કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘ

Gujarat Desk

ગુજરાત તાપમાનનો પારો વધ્યો; કંડલામાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયું

Gujarat Desk

કોલેજમાં જરૂરી તમામ ફેકલ્ટી, શિક્ષણ સુવિધાઓ ઉભી કરી સ્ટેટ ઓફ ધ આર્ટ કોલેજનું નિર્માણ થાય તે દિશામાં કામગીરી જરૂરી :- શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયા

Gujarat Desk

પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને અકસ્માત કરાવીને મારી નાખ્યાની હકીકત પોલીસ તપાસમાં બહાર આવી

Gujarat Desk

ડીસા ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગ મામલે સરકાર દ્વારા એસાઇટીની રચના

Gujarat Desk

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના માર્ગો ફોરલેન કરવા તથા મેજર બ્રિજ બનાવવા માટે એક જ દિવસમાં કુલ ૨૯૪ કરોડ રૂપિયા ફાળવ્યા

Gujarat Desk
Translate »