Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતીના પરીક્ષણ માટેના ફાર્મનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અવલોકન કર્યું



(જી.એન.એસ) તા.૪

આણંદ,

આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના ૨૧મા વાર્ષિક પદવીદાન સમારોહમાં પધારેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કાર્યક્રમ બાદ આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના ફાર્મની મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતી બન્ને પદ્ધતિઓથી ઉગાવવામાં આવેલા ઘઉં અને ચણાના પાકનું નિરીક્ષણ કર્યું હતું. પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉગાવવામાં આવેલો પાક વધુ સારો હોવાથી રાજયપાલશ્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.આ મુલાકાત વેળાએ આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી ડૉ. કે. બી. કથીરિયા, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી ડૉ. સી. કે. ટીંબડીયા તેમજ વિશ્વવિદ્યાલયના સંશોધકો ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

 અદાણીએ CNGના ભાવમાં 2 રૂપિયાનો કર્યો વધારો

Karnavati 24 News

જૂનાગઢમાં સુભાષ આયુર્વેદિક હોસ્પિટલનુ મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ

Karnavati 24 News

યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય (ભારત સરકાર) નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર દ્વારા રોડ સેફટી કાર્યક્રમ યોજાઓ

Gujarat Desk

વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજપત્રમાં નવરચિત મહાનગરપાલિકાઓમાં આંતરમાળખાકિય સુવિધાઓ માટે રૂ.૪૫૦ કરોડની જોગવાઈ કરાઇ-મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

Gujarat Desk

કોન્સ્ટેબલને બાતમી મળતા રાજકોટના જામકંડોરણામાંથી દારૂની ૮ પેટી સાથે બે શખ્સ ઝડપાયા

Karnavati 24 News

સાવરકુંડલા તાલુકાના આડસંગ ગામ માં સિંહોના આંટાફેરા દિન-પ્રતિદિન વધી રહ્યા

Karnavati 24 News
Translate »