અમરેલી જીલ્લો એટલે સિંહ નું ઘર ગણવામાં આવે છે એશિયાટીક સિંહો મોટી સંખ્યામાં અમરેલી જિલ્લામાં વસવાટ કરે છે સિંહોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે સિંહો જંગલ છોડી ને રેવન્યુ વિસ્તાર તરફ મોટી સંખ્યા માં આવી રહ્યા છે રેવન્યુ વિસ્તાર માં સિંહ ને પૂરતું પાણી અને ખોરાક મળી રહે છે સિહો એ રેવન્યુ વિસ્તાર માં પોતાના ઘર બનાવ્યા છે અનેક વખત સિહો ગામ માં શિકાર ની શોધમાં આવી ચડતા હોવા ના વિડિયો પણ સોશિયલ મીડિયા માં વાયરલ થાય છે સાવરકુંડલા નું આદસંગ ગામ મોડી રાત્રિના સમયે સિંહો ગામ માં આવી ચડયા હતા સિહો ગામમાં આવવા ની ઘટના ને લઇને ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે તેમજ પશુ વ્યવસાય કરતા પશુપાલકો વધુ પોતાના પશુ ઓ ને લઇ ચિંતિત બન્યા છે ત્યારે ગામમાં આવેલ સિંહ ના ફોટા રાહદારીઓએ પોતાના મોબાઇલના કેમેરામાં કેદ કર્યા હતા ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને વાડી વિસ્તાર હોય છે તેમાં સિંહોને શિકાર મળી રહે છે રોજ નીલગાય નો શિકાર સિંહોને ચાલતા મળી જાય છે સિંહો ને શિકાર અને પાણી પુરતા પ્રમાણમાં મળી રહેવાના કારણે સિંહો રેવન્યુ વિસ્તારમાં વધારે રહે છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે