સરકારી કર્મચારીઓ તેમજ અસરગ્રસ્ત ખેડૂતોને ગાંધીનગર ખાતે વર્ષ ૧૯૮૮માં ફાળવેલ પ્લોટના વેચાણની મંજૂરી બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ગાંધીનગરના ધારાસભ્યરીટાબેન પટેલ દ્વારા લેખિત રજૂઆત કરાઈ હતી. રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ તેમજ પ્રભારી મંત્રી હર્ષભાઈ સંઘવીને પણ સરકારની હકારાત્મક ભૂમિકા દાખવવા રજૂઆત કરાઈ હતી.
ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલે સરકાર દ્વારા વર્ષ ૧૯૮૮માં ઠરાવ કરીને ગાંધીનગરમાં ફરજ બજાવતા કરતા ૨૨,૦૦૦થી વધુ વર્ગ ૧ અને વર્ગ ૩ ના કર્મચારીઓ તેમજ અસરગ્રસ્ત ખેડૂતોને ૮૧ મીટર થી ૩૩૦ મીટરના ફાળવવામાં આવેલ પ્લોટની વેચાણ મંજૂરી અંગે સુપ્રીમ કોર્ટમાં ટુંક સમયમાં થનાર સુનાવણીમાં સરકાર દ્વારા હકારાત્મકતા સાથે રજૂઆત કરવા અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને તેમજ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ તેમજ પ્રભારી મંત્રી હર્ષભાઈ સંઘવીને કર્મચારીઓ તેમજ અસરગ્રસ્ત ખેડૂતોના વ્યાપક હિતમાં લેખિતમાં રજૂઆત કરી હતી.
ઉલ્લેખનય છે કે, સરકાર દ્વારા હકારાત્મકતા સાથે સુપ્રિમ કોર્ટમાં રજૂઆત કરવામાં આવે અને કાયદાની રૂએ પ્લોટની વેચાણ મંજૂરી મળે તો સ્ટે ના કારણે ૧૫ વર્ષથી ચાલતી અનિશ્ચિતતાનો અંત આવી શકે અને ૨૨,૦૦૦થી વધુ કર્મચારીઓ, અસરગ્રસ્ત ખેડૂતો અને તેમના પરિવારને રાહત મળી શકે તેમ છે ત્યારે આ બાબતે સુખદ નિર્ણય આવે તે માટે ધારાસભ્ય રીટાબેન કેતનકુમાર પટેલ સક્રિયતા સાથે લોકસેવક તરીકેની તેમની જવાબદારી નિભાવી રહ્યા છે.