Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સુરત – સરકારી અનાજની કાળાબજારી કરનાર સામે કાર્યવાહી, 5 મહિના પછી બેની ધરપકડ

સરકારી અનાજની કાળા બજારીના કેસમાં કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.  કાળા બજારી કરતા બે ભાઈઓ સુનિલ અને મેહુલની 5 મહિના પછી ધરપકડ કરવામાં આવી.

સુરતમાં અગાઉ પણ આ પ્રકારે કાળાબજારી સામે આવી હતી.  ટોળકીઓ દ્વારા સચીન સરકારી અનાજના ગોડાઉનના નામે ખોટા ડિલિવરી ચલણો, બિલો બનાવી, ખોટા હિસાબો બતાવીને વ્યાજબી ભાવની દુકાનોના પરવાનેદારોને મળવાપાત્ર જથ્થો પુરેપુરો મળ્યો હોવાનુ બહાર આવ્યું હતું. 

સરકારી અનાજની કાળા બજારીના કેસમાં બન્ને ભાઈઓ સામે કરોડોનું અનાજ સગેવગે કરી કાળાબજારમાં વેચી મારવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. બન્ને આરોપીઓ સામે ઓક્ટોબરમાં કેસ દાખલ થયો હતો. ગોડાઉનના અન્ય મેનેજર તેમજ સાગરિતો પાસેથી અનાજ તેઓ ખરીદતા હતા. સસ્તા ભાવે અનાજ લઈને અનાજની ગુણો તેઓ બદલી નાખતા હતા. 

અગાઉ સુરત ખાતે સચીન વિસ્તારમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી રોજ ઘઉંના ૪૫૦ કટ્ટા તથા MDM ફોર્ટીફાઈડ ચોખાના ૯૫૦ કટ્ટા સાથે ત્રણ ટ્રકો મળી કુલ રૂ.૩,૮૭,૫૦૦ના મુદ્દામાલ પકડાયો હતો.  

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજ્ય સરકાર દ્રારા ગરીબ તથા જરૂરીયાતમંદ લોકોને મફત તેમજ રાહતદરે આપવામાં આવતા અનાજને સગેવગે કરવાના બહાર આવેલા કૌભાંડને ગંભીરતાથી લઇ સુરત શહેર પોલીસ કમિશનરને આ કેસની બારીકાઇથી તપાસ કરવા અને કૌભાંડમા સંડોવાયેલા પ્રત્યેક ગુનેગારોને પકડી કડક કાર્યવાહી કરવા સુચના આપી હતી. ત્યારે આ મામલાની ગંભીરતાને જોતા અનાજની કાળા બજારી કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

संबंधित पोस्ट

અંકલેશ્વરમાં સગા બાપે સગીર પુત્રી ઉપર અનેક વખત દુષ્કર્મ આચર્યું.

Karnavati 24 News

વડોદરામાં પરીવારની સામૂહીક આત્મહત્યા, પતિ પત્ની બાળકને મારી ખૂદ મરી ગયા, દિવાલ પર લખ્યું કારણ

Admin

 જામનગરમાં ઈશુના જન્મ દિવસના વધામણાં કરવા થનગનાટ

Karnavati 24 News

અમદાવાદનું જડેશ્વર વન રાજ્યનું પહેલું એવું વન છે જે ‘ડમ્પિંગ સાઇટ’ ઉપર નિર્માણ પામ્યું

Karnavati 24 News

 અમરેલી જિલ્લા પોલીસના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન અમરેલી જિલ્લા જેલની મુલાકાત લેતાં ભાવનગર રેન્જ વડા આઇ.જી.પી. અશોક કુમાર (IPS)

Karnavati 24 News

અમરેલીમાં હોળી – ધુળેટી ના પર્વ ને ગણતરી ના દિવસો બાકી હોય જ્યારે બજારો ધમધમી ઊઠી

Karnavati 24 News