Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સુરત – સરકારી અનાજની કાળાબજારી કરનાર સામે કાર્યવાહી, 5 મહિના પછી બેની ધરપકડ

સરકારી અનાજની કાળા બજારીના કેસમાં કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.  કાળા બજારી કરતા બે ભાઈઓ સુનિલ અને મેહુલની 5 મહિના પછી ધરપકડ કરવામાં આવી.

સુરતમાં અગાઉ પણ આ પ્રકારે કાળાબજારી સામે આવી હતી.  ટોળકીઓ દ્વારા સચીન સરકારી અનાજના ગોડાઉનના નામે ખોટા ડિલિવરી ચલણો, બિલો બનાવી, ખોટા હિસાબો બતાવીને વ્યાજબી ભાવની દુકાનોના પરવાનેદારોને મળવાપાત્ર જથ્થો પુરેપુરો મળ્યો હોવાનુ બહાર આવ્યું હતું. 

સરકારી અનાજની કાળા બજારીના કેસમાં બન્ને ભાઈઓ સામે કરોડોનું અનાજ સગેવગે કરી કાળાબજારમાં વેચી મારવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. બન્ને આરોપીઓ સામે ઓક્ટોબરમાં કેસ દાખલ થયો હતો. ગોડાઉનના અન્ય મેનેજર તેમજ સાગરિતો પાસેથી અનાજ તેઓ ખરીદતા હતા. સસ્તા ભાવે અનાજ લઈને અનાજની ગુણો તેઓ બદલી નાખતા હતા. 

અગાઉ સુરત ખાતે સચીન વિસ્તારમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી રોજ ઘઉંના ૪૫૦ કટ્ટા તથા MDM ફોર્ટીફાઈડ ચોખાના ૯૫૦ કટ્ટા સાથે ત્રણ ટ્રકો મળી કુલ રૂ.૩,૮૭,૫૦૦ના મુદ્દામાલ પકડાયો હતો.  

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજ્ય સરકાર દ્રારા ગરીબ તથા જરૂરીયાતમંદ લોકોને મફત તેમજ રાહતદરે આપવામાં આવતા અનાજને સગેવગે કરવાના બહાર આવેલા કૌભાંડને ગંભીરતાથી લઇ સુરત શહેર પોલીસ કમિશનરને આ કેસની બારીકાઇથી તપાસ કરવા અને કૌભાંડમા સંડોવાયેલા પ્રત્યેક ગુનેગારોને પકડી કડક કાર્યવાહી કરવા સુચના આપી હતી. ત્યારે આ મામલાની ગંભીરતાને જોતા અનાજની કાળા બજારી કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

संबंधित पोस्ट

खेल विभाग पंजाब को खेलों में नंबर वन राज्य बनाने के लिए प्रतिबद्ध : राज कमल चौधरी

Admin

ભરૂચ જિલ્લો ઓદ્યોગિક તરફથી દેશના વિકાસમાં ખુબ મોટુ યોગદાન છે.

Karnavati 24 News

 દાહોદના સાંસદે દાહોદ વિસ્તારમાં સૈનિક સ્કૂલ ખોલવા રક્ષા મંત્રીને કરી રજૂઆત

Karnavati 24 News

 જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા યુનિવર્સીટીના પેપર લીકનો વિરોધ

Karnavati 24 News

અમદાવાદ બ્લાસ્ટ કેસ: કોર્ટે 38 દોષિતોને ફાંસી, 11ને આજીવન કેદની સજા ફટકારી

Karnavati 24 News

સુરત: પેપર ચોરી થવાના કેસમાં પ્રથમ વાર વિદ્યાર્થીઓ પેપર આપવા પહોચ્યા, ક્લાસમાં બેસીને પુસ્તક વાંચવા પડ્યા

Karnavati 24 News
Translate »