Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

સાઈટીકામાં અગ્નિકર્મ, ને ચર્મરોગમાં જળો દ્વારા સારવારનું 12મી એ નિદર્શન

ગાંધીનગર આયુષ નિયામક કચેરી અને જૂનાગઢ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા આગામી તા.12 ના સવારે 10 થી 5:00 વાગ્યા દરમિયાન દોમડીયા વાડી ખાતે આયુષ મેળો યોજાશે જેમાં જુના હઠીલા રોગમાં પંચકર્મની ચિકિત્સાનું પ્રેક્ટીકલ પ્રદર્શન તેનો ઉપયોગ કેમ ક્યાં થાય અંગે જાણકારી આપવામાં આવશે સાંધાના રોગ પગની એડીના દુખાવા સાયટીકા જેવા રોગોમાં અગ્નિ કર્મ પદ્ધતિથી તાત્કાલિક સારવાર અને ચામડીના જુના રોગમાં જળો દ્વારા સારવારને પ્રેક્ટીકલ અને થિયરી દ્વારા સમજાવવામાં આવશે આ ઉપરાંત પેટ સાંધાના રોગ ચામડીના રોગ બાળ રોગ રોગનું વિનામૂલ્યે નિદાન અને સારવાર કરવામાં આવશે કુપોષિત બાળકો અને એચ.બી ઓછું હોય તેને આયુર્વેદ દવાનું વિતરણ કરવામાં આવશે સિનિયર સિટીઝન માટે જીરિયાટ્રિક ઓપીડી અલગથી રાખવામાં આવશે લોકોને આયુર્વેદ અને યુનાની, સિદ્ધ અને હોમિયોપેથિક સારવાર માટે મેળા દરમિયાન પ્રદર્શન યોજાશે મેળા દરમિયાન તંદુરસ્ત બાળ તંદુરસ્ત સિનિયર સિટીઝન સ્પર્ધા આરોગ્યપ્રદ વાનગીનું પ્રદર્શન યોજાશે જેમાં પ્રથમ ત્રણ ક્રમ આવનારને ઇનામ આપવામાં આવશે તેમજ ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર આપવામાં આવશે આયુષ મેળા દરમિયાન આપણી આસપાસ ઉગતી વનસ્પતિની ઓળખ અને તેના ઉપયોગ વિશે તેમજ રસોડામાં રહેલા મસાલાનો ક્યાં રોગમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય તે અંગે તેમજ રોજબરોજના ખોરાકમાં કઈ બાબતોની કાળજી રાખવી તે અંગે માહિતી આપવામાં આવશે

संबंधित पोस्ट

Forest Research Institute ने ग्रुप C 72 पदों के लिए भर्ती की प्रक्रिया शुरू, यहां से करें अप्लाई देखें योग्यता।

Admin

ધ્રાંગધ્રાના સોની તલાવડી વિસ્તારમા સામાન્ય બાબતમાં એક્સ આર્મીમેનના પરીવાર પર હુમલામાં વધુ ૦૫ આરોપીઓને પોલીસે ઝડપી પાડયા

Admin

અરવલ્લીની વાત્રક હોસ્પિટલમાં 100 બેડ, આઇસીયું, લેબોરેટરી, મેડિસિન અને ઓક્સિજન પ્લાન્ટની તમામ સુવિધા ઉપલબ્ધ કરાઈ

Admin

કોરોના સંકટને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને માસ્ક પહેરવા અપીલ કરી .

Admin

પોરબંદર જીલ્લાના વિશ્રામ દ્વારકા શીંગડા ગ્રામ પંચાયત ખાતે ગામસભા યોજાય

Admin

महिलाओं के चूड़ियां पहनने के होते हैं कई लाभ, वैज्ञानिक महत्व के साथ आयुर्वेद में भी है जिक्र

Admin