Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

વંથલી તાલુકાના સોનારડી ગામમાંથી વધુ એક દીપડી પાંજરે પુરાઈ હતી

ગત 24 ડિસેમ્બરના વંથલી તાલુકાના સોનારડી ગામે સાત વર્ષની મન્નત નામની બાળકીનો દીપડાએ શિકાર કર્યો હતો દીપડાના શિકારથી સમગ્ર ગામમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે વન વિભાગે દીપડાઓને પકડવા માટે પાંચ પાંજરાઓ રાખ્યા છે જેમાં પ્રથમ દિવસે એક માદા દીપડી પકડાઈ ગઈ હતી ત્યારબાદ બીજે દિવસે પણ એક નર દીપડો પકડાયો હતો અને ગતરાત્રિના બે થી ત્રણ વર્ષની માદા દીપડી પાંજરે પુરાઈ છે તેને સક્કરબાગ ખાતે મોકલી આપવામાં આવી છે આ સમગ્ર મુદ્દે વંથલીના આરએફઓ સુત્રેજાએ જણાવ્યું હતું કે હજુ પણ પાંજરાઓ યથાવત રાખવામાં આવ્યા છે જ્યાં સુધી દીપડાઓ નહીં પકડાય ત્યાં સુધી પાંજરાઓ રાખવામાં આવશે પકડાયેલા ત્રણેય દીપડા અને સકકરબાગ રૂમમાં પરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે પરંતુ હજુ પરીક્ષણ અંગેનો રિપોર્ટ આવ્યો નથી જેથી કોઈ ચોક્કસ કહી શકાય કે નહીં ત્રણમાંથી કોઈ દીપડા માનવભક્ષી છે કે હજુ માનવભક્ષી દીપડો પકડ બહાર છે હજુ પણ સોનારડી ઓઝત નદીના કાંઠે તથા બાવળની જાડી જાખરામાં હજુ પણ દીપડાઓ વસવાટ કરતા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે હજુ પણ દીપડાઓને પકડવા માટે વનતંત્ર દ્વારા પાંજરાઓ રાખવાનું કામગીરી યથાવત રાખવામાં આવી છે બીજી તરફ સોનારડી ગામમાં પણ હજુ ભયનો માહોલ યથાવત જ છે

संबंधित पोस्ट

दिल्ली में शीतलहर की वजह से 15 जनवरी तक स्कूले रहेंगे बंध

Admin

રાજકોટના મુસાફરો માટે ખરાબ સમાચાર: બયાના સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગનાં કામના કારણે રાજકોટની ઘણી ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરાયા

Admin

भारतीयों ने इंडोनेशिया को बनाया सबसे बड़ा इस्लामिक देश: 1400 साल पहले हिंदुओं का बोलबाला;

Admin

પાકિસ્તાનનું ડ્રોન ષડયંત્ર ફરી નિષ્ફળ, BSFએ જપ્ત કર્યો હથિયારોનો મોટો કન્સાઈનમેન્ટ

Admin

અમેરિકા-જાપાનની આ મિસાઈલોએ કરી ચીનની ઊંઘ હરામ, ડ્રેગન થયું બેચેન

Admin

રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવથી ખેત જણસોની સીધી ખરીદી કરશે

Karnavati 24 News
Translate »