Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

રાજકોટ: નાફેડની ઓછી કિંમત સામે ખેડૂતોમાં રોષ, ડુંગળીની ખરીદીને લઈ હવે રાજનીતિ ગરમાઇ!

ખેડૂતોને તેમના પાક માટે પોષણક્ષમ ભાવ મળી શકે તે માટે કેન્દ્ર, રાજ્ય સરકાર દ્વારા નોડલ એજન્સી નાફેડને જવાબદારી સોંપવામાં આવી છે. નાફેડ દ્વારા રાજ્યના વિવિધ માર્કેટ યાર્ડમાંથી ડુંગળીની ખરીદી શરૂ પણ કરવામાં આવી રહી છે. પરંતુ, રાજકોટ સહિત વિવિધ માર્કેટ યાર્ડમાં નાફેડ દ્વારા ડુંગળીની ખરીદીમાં ખેડૂતોને રસ નથી તેવા દ્રશ્યો સામે આવ્યા છે. માહિતી મુજબ, નાફેડ દ્વારા ખેડૂતોને ડુંગળીની ઓછી કિંમત અપાતા હોવાના આક્ષેપ સાથે કેટલાક ખેડૂતોએ નાફેડને ડુંગળી ન વેચવાનો નિર્ણય કર્યો છે.

નાફેડ દ્વારા ડુંગળીના પ્રતિકિલો રૂ.7થી 9 સુધીનો ભાવ અપાય છે

મીડિયા અહેવાલ મુજબ, ગુરુવારે રાજકોટ માર્કેટ યાર્ડમાં નાફેડ દ્વારા ડુંગળીના રૂ.7.92 પ્રતિકિલો ભાવ અપાતો હતો. જ્યારે ઓપન માર્કેટમાં ખેડૂતોને કિલો દીઠ રૂ.15નો ભાવ મળી રહ્યો છે. જો કે, ખેડૂતો દ્વારા વિરોધ દાખવતા આજે એટલે કે શુક્રવારે ખેડૂતોને ડુંગળીનો રૂ.9.5 પ્રતિકિલો સુધીનો ભાવ આપવામાં આવી રહ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ આજે નાફેડે ડુંગળીની ખરીદી કરી પરંતુ, ઓછા ભાવ મળવાના કારણે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો. આજથી નાફેડ દ્વારા ગોંડલમાં માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીની ખરીદી માટે સ્ટોલ લગાવવામાં આવ્યા છે. પરંતુ, સવારથી લાગેલા નાફેડના સ્ટોલમાં ખેડૂતો ડુંગળી નથી વેચી રહ્યા. ખેડૂતો નાફેડ દ્વારા જાહેર કરાયેલા ભાવ પ્રત્યે નારાજગી દર્શાવી રહ્યા છે.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યે નાફેડની કામગીરી પર સવાલ ઉઠાવ્યા

બીજી તરફ નાફેડના અધિકારીઓનું કહેવું છે કે સરકારની માર્ગદર્શિકા અને ભાવ મુજબ ડુંગળીની ખરીદી કરવા માટે તેઓ બંધાયેલા છે. ડુંગળીની ગુણવત્તા, તેની સાઇઝ જો સરકારની ગાઇડલાઇન પ્રમાણે ના હોય તો પછી તેના ભાવમાં પણ ફરક પડે છે. જો કે, ડુંગળીના ઓછા ભાવ મામલે ખેડૂતોમાં રોષ જોઈ હવે આ મુદ્દાએ રાજકીય રંગ લઈ લીધો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ નાફેડની કામગીરી પર સવાલ ઉઠાવી ખેડૂતો સાથે મજાક કરાતી હોવાનો આરોપ લગાવ્યો છે.

संबंधित पोस्ट

અમેરિકા-જાપાનની આ મિસાઈલોએ કરી ચીનની ઊંઘ હરામ, ડ્રેગન થયું બેચેન

Admin

ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના સ્વ- સહાયજુથ માટેના ‘કેશ ક્રેડિટ કેમ્પ’ ને રાજય શિક્ષણ મંત્રીના હસ્તે ખુલ્લો મુકાયો

Admin

તડબૂચની ખેતીમાં દવા છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ કરતા માલપુર તાલુકાના પ્રગતિશીલ ખેડૂતો, સમય અને રૂપિયાનો બચાવ

Karnavati 24 News

કોચીનથી દિલ્હી જઈ રહેલી ફ્લાઈટની ભોપાલમાં ઈમરજન્સી લેન્ડિંગ, બચી ગયો જીવ

Admin

થાનગઢના હરીનગર અને ધર્મેન્દ્રનગરમાં પાલિકા તંત્ર દ્વારા રૂ.10.98 કરોડના ખર્ચે પાણીની લાઇનનું કામ ચાલુ કરવામાં આવ્યુ

Admin

દાહોદની શાળાની બેદરકારીના કારણે 8 વર્ષીય વિધ્યાર્થીનીનું મોત : જવાબદારી સામે કાર્યવાહીની માંગ

Admin
Translate »