Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

દ્વારકા – મંત્રી મૂળુબેરાએ માતાજીના મંદિર સુધી પદયાત્રા કરી, પૂરી કરી કાર્યકરની માનતા

મંત્રી મૂળુબેરાએ આવળ માતાજીના મંદિર સુધી પદયાત્રા કરી હતી અને માનતા પૂર્ણ કરી હતી. આ સાથે બાળકોને નોટ અને પેન તેમજ પોષણયુક્ત કીટ આપવામાં આવી હતી. ખંભાળિયા સહિત રાજ્યભરમાં તાજેતરમાં યોજાઈ ગયેલી વિધાનસભા ચૂંટણીમાં ખંભાળિયાના ઉમેદવાર મુળુભાઈ બેરાનો ભવ્ય વિજય થયો છે. જેમાં અહીંના ધારાસભ્ય મુળુભાઈ બેરાને ગુજરાત સરકારમાં કેબિનેટ સ્થાન પણ મળ્યું છે. ત્યારે તેમને ખંભાળિયાના અગ્રણી કાર્યકર ઈન્દ્રજીતસિંહ પરમાર અને ધીરુભાઈ ટાકોદરાએ ખંભાળિયા તાલુકાના કેશોદ ખાતે બિરાજમાન શ્રી આવળ માતાજીના મંદિર સુધી પદયાત્રા કરી હતી.

અહીંન શ્રી આવળ  માતાજી મંદિર ખાતે મુળુભાઈ બેરાના વજન જેટલી સાંકરથી ધરાવીને તેમના માટે રાખવામાં આવેલી માનતા પૂર્ણ કરવામાં આવી હતી. આ સ્થળ પર એક હજાર નોટબુક અને બે હજાર પેન સાથે કુપોષિત બાળકોને કીટનું વિતરણ કરાયું હતું. આ સાથે મુળુભાઈ બેરાનું સન્માન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને સરકાર દ્વારા કુપોષિત બાળકોને પોષણયુક્ત કીટ આપવામાં આવી રહી છે ત્યારે અહીં પણ બાળકોને આ કીટ આપવામાં આવી હતી.

આ પ્રસંગે અહીંના ક્ષત્રિય અગ્રણી પી.એસ. જાડેજા, જિલ્લા મેજિસ્ટ્રેટ એમ.એ. પંડ્યા, હરિ નકુમ, શૈલેષ કણઝારીયા, અનિલ તન્ના, પિયુષ, વનરાજસિંહ વાઢેર, દિનેશ દતાંણી સહીતના મહાનુભાવોની પણ ઉપસ્થિતિ રહી હતી.

संबंधित पोस्ट

क्या खुशी का कोई फॉर्मूला है?: खुश रहने के लिए सबसे जरूरी 3 चीजें; परिवार, दोस्त और स्वास्थ्य

Admin

महाराष्ट्र: अमिताभ बच्चन, धर्मेंद्र और मुकेश अंबानी के घर को बम से उड़ाने कि मिली धमकी, एक कॉल से मच गया हड़कंप

Admin

સાઈટીકામાં અગ્નિકર્મ, ને ચર્મરોગમાં જળો દ્વારા સારવારનું 12મી એ નિદર્શન

Admin

ગૂજરાત વિદ્યાપીઠ વિવાદ – આજે 22માંથી 8 ટ્રસ્ટીઓના રાજીનામાં સ્વિકારવામાં આવ્યા

Admin

થાનગઢના હરીનગર અને ધર્મેન્દ્રનગરમાં પાલિકા તંત્ર દ્વારા રૂ.10.98 કરોડના ખર્ચે પાણીની લાઇનનું કામ ચાલુ કરવામાં આવ્યુ

Admin

ઠંડીથી બચવા જે પણ ગરમ કપડા વિદ્યાર્થી પહેરીને આવે તેને શાળાએ માન્ય રાખવા

Admin