ભાજપમાં જોડાવવાની ચર્ચા અને વિધાનસભાના સત્ર પહેલા આપના 5 ધારાસભ્યો આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. ખાસ કરીને આમ આદમી પાર્ટીના 182 ઉમેદવારોમાંથી ગુજરાતની જનતાએ 5 પર સિક્કો મારી તેમને 182ના લિસ્ટમાં સામેલ કરી ધારાસભ્ય બનાવ્યા છે ત્યારે 20 તારીખના રોજ વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે. ત્યારે એ પહેલા ધારાસભ્યોની શપથવિધી પણ થવા જઈ રહી છે.
અગાઉ આપના એક ધારાસભ્યની ભાજપમાં જોડાવાની અટકળો તેજ બની હતી ત્યારે બીઝા ધારાસભ્યો પણ ભાજપમાં ભળી રહ્યા હોવાની વાત સામે આવી હતી જો કે, અત્યારે આ મામલે કોઈ જ સ્પષ્ટતા નથી પરંતુ વિધાનસભાનું સત્ર મળવા જઈ રહ્યું છે ત્યારે એક દિવસના સત્ર મામલે આ બેઠક આ મામલે હોઈ શકે છે.
આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો દિલ્હીમાં કેજરીવાલને મળ્યા હતા. આ માહિતી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ આપી હતી. કેજરીવાલ સાથેની બેઠકમાં પાંચેય ધારાસભ્યોને વિધાનસભામાં જાહેર મુદ્દા ઉઠાવવાની સૂચના આપવામાં આવી હતી. આ સાથે લોકોના પ્રશ્નો કેવી રીતે ઉઠાવવા તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
સ્વભાવિક છે કે, પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણીમાં આપ પાર્ટી ખાતું ખોલાવવામાં સફળ સાબિત થઈ છે ત્યારે ધારાસભ્યો પ્રથમ વખત વિધાનસભામાં જશે ત્યારે ચોક્કસથી અરવિંદ કેજરીવાલે આ બાબતો વિગતે સલાહ આપી હશે.