Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

માંગરોળ માં ઘરનો કબાટ તોડીને 1.39 લાખની માલમતા ની ચોરી

માંગરોળના કામનાથ રોડ પર આવેલી ખુશ્બુ સોસાયટીમાં એક બંધ મકાનની બારી ખોલી અંદર ઘુસી જઈ કબાટના તાળા તોડીને તસ્કરો 1.39 લાખની માલમતા ચોરી ગયા ની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે માંગરોળમાં નવા બસ સ્ટેન્ડ પાસે કોહિનૂર ગેરેજ ચલાવતા વાહબભાઈ ઝાકીરભાઇ મહીડાએ તેના ઘરની બાજુમાં બીજું પાકું મકાન બનાવ્યું છે ત્યાં તેનો નાનો ભાઈ આદિલ અને તેના પત્ની રાત્રે સુવા જતા હતા એકાદ અઠવાડિયાથી સફાબેન પોતાના માવતરના ઘરે આટો મારવા ગયા હતા. વહેલી સવારે ચારેક વાગ્યે વાહકભાઈના પત્ની જાગ્યા ત્યારે તેના બીજા મકાનની બારી ખુલી હતી અને લાઈટો ચાલુ હતી આથી ત્યાં તપાસ કરતા કબાટનો લોક તૂટેલો હતો પેટી પલંગ અને સામાન વેરવિખેર પડ્યો હતો કબાટમાં રહેલા ત્રણ તોલાનો સોનાનો સેટ એક ચાંદીની વીંટી 20,000 રોકડા તેમજ 5000 ની કિંમતની એક ઘડિયાળ મળીને કુલ 1.39 લાખનો મુદ્દામાલ ચોરી થયા હોવાનું જાણવા મળ્યું હતું આ મામલે વાહબભાઈ મહીડાએ ફરિયાદ કરતા માંગરોળ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

संबंधित पोस्ट

અમદાવાદમાં વૃક્ષારોપણ પાછળનાં ખર્ચમાં 2019– 20થી 2021-22માં 116 ટકાનો વધારો નોંધાયો છે

Admin

આ મંદિરમાં ચિઠ્ઠી લખવાથી મનોકામના થઇ જાય છે પૂરી, દેશવિદેશથી આવે છે લોકો દર્શન કરવા

Karnavati 24 News

સ્થાનિક કાર્યકર ન મૂકાય ત્યાં સુધી આંગણવાડીમાં બાળકોને ભણવા નહીં મોકલવા ગ્રામજનોનો હુંકાર

Karnavati 24 News

ખેડા જિલ્લામાં જાન્યુઆરીના પ્રથમ 10 દિવસમાં 637 કેસ નોંધાયા

Karnavati 24 News

मोगा मंडी मे कल शाम तक 68658 मीट्रिक टन धान की हुई खरीद

Admin

CBSE સેમ 1 ના 2021-22 પરિણામો

Karnavati 24 News