Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

8મી ડિસેમ્બર પછી પણ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ બનશે. – પ્રદિપસિંહ વાઘેલા

પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાજીએ ગાંધીનગરમાં જંગી જાહેરસભામાં ભારત માતા ના જયઘોષ સાથે સંબોધતા જણાવ્યું કે, ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી અને આ ચૂંટણી પછી 8મી ડિસેમ્બર પછી પણ ગુજરાતના મુખ્યમંત્રી બનશે ભુપેન્દ્રભાઇ પટેલ. જાહેરસભામાં ઉપસ્થિત કાર્યકરોને જમ્મુ કાશ્મિરની કલમ 370 ને દુર કરી, ગુજરાતમાં અને દેશમાં વિકાસની રાજનીતી પ્રસ્થાપિત કરી, સર્જીકલ અને એરસ્ટ્રાઇક કરી દેશની સુરક્ષા વઘારી, વિશ્વમાં ભારતના નાગરિકોનુ સ્વાભિમાન વધાર્યુ છે આ દરેક કામ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કર્યા છે તે અંગે માહિતી આપી.આ વખતે ચૂંટણીમાં ભાજપના દરેક ઉમેદવાર અને ગાંઘીનગર દક્ષિણમાં જંગી મતોથી અલ્પેશભાઇ ઠાકોરનો વિજય થાય તેમાટે પ્રયત્ન કરવાનો છે.

 પ્રદિપસિંહ વાઘેલાજીએ વધુમાં જણાવ્યું કે, અલ્પેશ ઠાકોરે રાઘનપુરની જનતાના સુખદુખમાં સહભાગી થઇને કામ કર્યુ છે. અલ્પેશભાઇ ઠાકોર રાઘનપુરથી ચૂંટણી હાર્યા પછી જનતાની વચ્ચે રહી ભાજપના કાર્ચકરો વચ્ચે રહી જનતાના સુખદુખમાં સહભાગી થઇ જનતાનો પ્રેમ મેળવવામાં સફળ થયા છે. પ્રદિપસિંહ વાઘેલાજીએ ગાંઘીનગર દક્ષિણ ના કાર્યકરોનો પ્રેમ મેળવવામાં તેઓ સફળ થશે તેનો વિશ્વાસ છે. આવનાર સમયમાં ધારાસભ્ય તરીકે પાર્ટી જે જવાબદારી આપશે તે માટે કામ કરશે તેવો વિશ્વાસ છે. આ ચૂંટણીમાં અલ્પેશભાઇ ઠાકોરની જીતની જવાબદારી આપણા કાર્યકરો લે જેથી અલ્પેશ ઠાકોર આપણા બીજા ઉમેદવારને પણ સમય આપે તે માટે કાર્યકરો પાસે વિનંતી કરી.

संबंधित पोस्ट

હાર્દિકે કોંગ્રેસ છોડી દીધીઃ સોનિયાને પત્ર લખ્યો

Karnavati 24 News

રાજ્યમાં 18 લાખ મતદારો નકલી હોવાનો કોંગ્રેસનો દાવો, મહેસાણામાં પણ નકલી મતદારો – કોંગ્રેસ

Karnavati 24 News

ખાંભા તાલુકામાં કિસાન મોરચાના પ્રમુખ, પ્રભારી તેમજ વરિષ્ટ ભાજપના નેતા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

Karnavati 24 News

ગોરખનાથ મંદિરમાં યોગીએ 600થી વધુ ફરિયાદો સાંભળીઃ BSF જવાન બોલ્યા- મારો દીકરો મારી હત્યા કરીને સરકારી નોકરી મેળવવા માંગે છે

Karnavati 24 News

જયરાજ સિંહના ટ્વીટથી રાજકારણ ગરમાયું, શું કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાશે?

Karnavati 24 News

અહેમદ પટેલના ઈશારે ગોધરાકાંડ બાદ તિસ્તાને મળ્યા 30 લાખ, SITની એફિડેવિટમાં થયો ખુલાસો

Karnavati 24 News