વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરા બાની તબિયત લથડી છે. તેમને અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી છે. તેમણે ટ્વિટ કર્યું- માતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ શાશ્વત અને અમૂલ્ય હોય છે. મોદીજી, આ મુશ્કેલ સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું આશા રાખું છું કે તમારા માતાજી જલ્દી સ્વસ્થ થઈ જાય.
થોડા સમય પહેલા, હોસ્પિટલે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે તેમની સ્થિતિ સ્થિર છે. કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીની માતા હીરા બાની તબિયત ખરાબ થઈ ગઈ હતી. આ પછી તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારથી તેમના પરિવારના તમામ સભ્યો હોસ્પિટલમાં હાજર છે. હીરા બાને કફની ફરિયાદ હતી.
કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી પણ આજે બપોરે તેમને જોવા અમદાવાદ પહોંચશે. આ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની હાલત જાણવા હોસ્પિટલ પહોંચ્યા હતા. પ્રશાસને હોસ્પિટલની આસપાસ સુરક્ષા સઘન બનાવી દીધી છે. PM નરેન્દ્ર મોદીની માતા હીરા બાએ જૂનમાં તેમનો 100મો જન્મદિવસ ઉજવ્યો હતો.