આજે આખા ગુજરાતમાં લોકો પરિવર્તન લાવવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા. આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી પાસે લાખો લોકોનું સંગઠન તૈયાર થઈ ગયું છે. અને આ સંગઠન હજુ પણ દિવસે ને દિવસે મોટું થઈ રહ્યું છે. ગુજરાતના લોકો જાણે છે કે આજે ગુજરાતમાં ફક્ત એક જ પાર્ટી છે જે લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકે એમ છે અને એટલા માટે જ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.
આ નવા જોડાતા લોકોમાં દરેક વ્યક્તિને તેમની ક્ષમતા અનુસાર કાર્યભાર સોંપવામાં આવે છે. આજે અમને જણાવતા ખુશી થઈ રહી છે કે આજે આમ આદમી પાર્ટી વધુ એક સંગઠનની યાદી બહાર પાડી રહી છે. સંગઠનમાં નવા જોડાનાર લોકોથી આમ આદમી પાર્ટી વધુ મજબૂત બનશે એવો અમને પૂરો વિશ્વાસ છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી તથા રાજ્યસભા સાંસદ ડૉ. સંદીપ પાઠક, પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ તથા પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના માર્ગદર્શન હેઠળ નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે.
ચૈતરભાઈ વસાવા, અરવિંદભાઈ સોલંકીને પ્રદેશ ઉપપ્રમુખ બનાવવામાં આવે છે. સાથે સાથે ચંદ્રિકાબેન સોલંકી, નીતાબેન મોદી, ભરતસિંહ કોટીલા, મોહનભાઈ રાઠોડ, સાગર પંભાર અને ઇન્દ્રવિજયસિંહ રાઓલને પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી બનાવવામાં આવે છે.
આ સાથે સાથે અલગ અલગ વિંગ અને અલગ અલગ જિલ્લાઓના સંગઠનમાં કુલ 138 પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે. દરેકે દરેક પદાધિકારી આવનારી ચૂંટણીમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવવા જઈ રહ્યા છે. આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઘરે ઘરે પહોંચી ગઈ છે એનો પૂરેપૂરો શ્રેય આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને તથા અલગ અલગ સંગઠનમાં જવાબદારી નિભાવતા પદાધિકારીઓને જાય છે.
આવનારી ચૂંટણીમાં જે ઇતિહાસ રચાવવા જઈ રહ્યો છે તેમાં આમ આદમી પાર્ટીના દરેકે દરેક નેતા તથા કાર્યકર્તાઓની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે અને આવનારી ચૂંટણી ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાશે.