Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

23 જાન્યુઆરી 2022ના રોજ પાટણ જિલ્લામાં 0થી 5 વર્ષ સુધીના તમામ બાળકોને રસીના ટીપા પીવડાવાશે

પાટણ જિલ્લામાં રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ અંતર્ગત તા.23 જાન્યુઆરી, 2022ને રવિવારના રોજ 0થી 5 વર્ષ સુધીના તમામ બાળકોને પોલીયોની રસીના ટીપા પીવડાવવામાં આવશે. જેને લઇને પાટણ ખાતે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ અંતર્ગત પલ્સ પોલીયો રસીકરણ વર્કશોપ યોજાયો હતો. પોલીયો રસીકરણ ઝુંબેશના ભાગરૂપે જિલ્લાના તમામ ગામો અને શહેરી વિસ્તારમાં પોલિયો રસીકરણ બુથ કેન્દ્રો, ટ્રાન્જીસ્ટ પોઈન્ટો, મોબાઈલ સાઈટ ઉપર તમામ વિસ્તારને આવરી લઈને 0થી 5 વર્ષ સુધીના તમામ બાળકોને એક સાથે પોલિયો રસીકરણથી જિલ્લામાં 1 લાખ 85 હજાર 161 જેટલા બાળકોને આવરી લેવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એક સાથે તમામ બાળકોને પોલિયો રસીથી આવરી લેવામાં આવે તો તમામ બાળકોને એક સાથે સુરક્ષિત કરી શકાશે. આ વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ વર્કશોપમાં હાજર જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રોના મેડીકલ ઓફિસર તેમજ તમામ તાલુકા હેલ્થ ઓફિસરઓને આ અભિયાન અંતર્ગત એકપણ બાળક પોલીયો રસીથી વંચિત ન રહી જાય એ માટે સઘન માઈક્રોપ્લાનીંગ કરવા જણાવ્યું હતું. આ વર્કશોપમાં દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એસ.એ.આર્ય, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ ડબલ્યુ એચ.ઓ.કંન્સલન્ટંટ ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 વાગે કાર્યકર્તાઓને વર્ચ્યુઅલી સંબોધશે

Karnavati 24 News

પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, આ 4 જિલ્લાની સભા ગજવશે

Admin

Gold Rate on 30 July: सोने की कीमतों में बढ़त, चांदी में आई जबरदस्त गिरावट, जानिए भाव

Admin

ઉદ્ધવ મહારાષ્ટ્રના લોકો સાથે વાત કરશેઃ શિંદેએ પાર્ટી પર દાવેદારી નોંધાવ્યા બાદ ઉદ્ધવ FB લાઈવ કરશે, 5 વાગ્યા હતા, હજુ શરૂ નથી થયું

Karnavati 24 News

જુનાગઢ મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓએ સંભાળ્યો ચાર્જ

Karnavati 24 News

રાજ્યમાં સ્વચ્છતામાં ભરૂચે ગત વર્ષ કરતા 49 ક્રમનો કૂદકો લગાવી 15 મો અને અંકલેશ્વરે 9 મો રેન્ક હાંસલ કર્યો.

Translate »