આજે કોંગ્રેસના નેતા અને વિસાવદરના ધારાસભ્ય એવા હર્ષદ રીબડીયા કોંગ્રેસમાંથી છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાયા બાદ તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. હર્ષદ રીબડીયાએ કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, જ્યાં સુધી પક્ષમાં અને પાર્ટીમાં હોવ છો અને અનુશાસનમાં હોવ ત્યારે શિસ્તમાં ચાલો છો. એ જ લોકો પાર્ટી છોડ્યા પછી શા માટે બદનામ કરવાનો પાર્ટીને પ્રયત્ન કરે છે. તેમ કોંગ્રેસના ધારાસભ્ય અંબરીસ ડેરે કહ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે, આ હાસ્યાસ્પદ લાગે છે. સ્ટેટસ પ્રમાણે જેતે પાર્ટીમાં જે તે વ્યક્તિ આવીને જાય, ખોટી રીતે બદનામ ના કરે તેમ તેમણે કહ્યું હતું. આજે હર્ષદ રિબડીયા ભાજપમાં જોડાયા હતા અને તેમણે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય હર્ષદ રીબડીયા સિવાય અન્ય ધારાસભ્ય અને દિગ્ગજ નેતાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. ભાજપમાં એક પછી એક નેતાઓ ચૂંટણી પહેલા જોડાઈ રહ્યા છે. હાર્દિક પટેલ, દિનેશ શર્મા, જયરાજસિંહ સહીતના નેતાઓ ભાજપમાં જોડાયા છે. ભાજપમાં વેલકમ બીજેપી કેમ્પેઈન ચાલી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક ધારાસભ્યોને તેમના તરફ જોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.