Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ખોટી વાત ના કરો કાયદેસરની વાત કરો! પોલીસની બલિઠા ટ્રાફિક ને લઈને મોરાઈના ઉદ્યોગકારોની શાન ઠેકાણે લાવતી ચેતવણી

મોરાઈ ફાટક બંધ થવાથી દમણ તરફનો વાહનવ્યવહાર હાલ બલિઠા ફાટક તરફથી હાઇવે પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ માર્ગ સાંકડો હોય ટ્રાફિક જામની અને ઇમર્જન્સી આવગામનની સમસ્યા ઉભી થઇ છે. ત્યારે, બુધવારે બલિઠા રેલવે ફાટક પર બ્રિજની કામગીરી અને ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઇ વિભાગના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. જ્યાં ઉપસ્થિત મોરાઈ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના આગેવાનોએ અધિકારીઓ પર રોષ ઠાલવ્યો હતો. તેમજ ટાઉન PI સરવૈયા સાથે ટ્રાફિકને લઈને જીભાજોડી કરી હતી. ઉદ્યોગકારોએ બલિઠા ફાટક પર બનનાર ઓવર બ્રિજનું કામ ટલ્લે ચડ્યું છે. મોરાઈ ફાટક બંધ થવાથી અહીં ફાટક પર જ્યારે જ્યારે ટ્રેનના આવાગમન સમયે ફાટક બંધ કરવામાં આવશે ત્યારે વાહનોની લાંબી કતારો લાગશે અને હાઇવે પર ટ્રાફિક જામ થશે. જો તેનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉદ્યોગકારો પોતે ચક્કાજામ કરશે તેવી ચીમકી PI સરવૈયા સામે ઉચ્ચારતા PI સરવૈયાએ ઉદ્યોગકારોની શાન ઠેકાણે લાવતી ચેતવણી આપી હતી કે ખોટી વાત ના કરો કાયદેસરની વાત કરો….. ખોટી વાત કરશો અને ટ્રાફિક જામ કરવાની વાત કરશો તો પોલીસ પગલાં ભરશે…. તેમાં પોલીસ અને ઉદ્યોગકારો આમને સામને આવશે……. ઉદ્યોગકારોની એલફેલ વાતો સાંભળી PI સરવૈયાએ MIA ના ઉદ્યોગકારોને આડે લીધા હતાં. PI સરવૈયાએ ઉદ્યોગકારોને ચેતવણી આપી હતી કે, ટ્રાફિક નિયમનનું કામ પોલીસનું છે. એમાં ખલેલ કરશો તો પોલીસ કાર્યવાહી કરશે. સરવૈયાનું કડક વલણ જોતા MIA ના ઉદ્યોગકારોની બોલતી બંધ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે બલિઠા ફાટકની સ્થળ મુલાકાત અને પ્રશ્નોના નિરાકરણ પ્રસંગે રેલવેના અધિકારીઓ, PWD ના અધિકારી, વલસાડ પ્રાંત અધિકારી, DGVCL ના અધિકારી, વાપી પોલીસ સ્ટેશનના PI સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ત્યારે MIA ના ઉદ્યોગકારો જાણે પોતે જ સરકારના માય-બાપ હોય તેવો તોછડો વ્યવહાર કરતા જોવા મળ્યા હતા. જેને આખરે ટાઉન PI સરવૈયાએ ‘આતા માજી સટકલી’ સ્ટાઇલમાં સમજાવી ઉદ્યોગકારોની શાન ઠેકાણે લાવી દીધી હતી.

संबंधित पोस्ट

પંજાબ સરકારનો મોટો નિર્ણય, આ 424 VIP લોકોની સુરક્ષા લીધી પરત

Karnavati 24 News

રાજકોટમાં જાણો વિજય રુપાણીની સીટ પર કોણે કરી દાવેદારી, રુપાણીનું નામ લિસ્ટમાં નહીં

Admin

लखनऊ : हिन्दू महासभा के प्रदेश प्रवक्ता शिशिर चतुर्वेदी हुए नजरबन्द

Admin

કોંગ્રેસનાં મંત્રી મહેશ રાજપુતે પોલીસની વાહનમાંથી નામ લખાણ હટવાની ડ્રાઇવ સામે ઉઠાવ્યા સવાલ: કહ્યું ક્યાં કાયદા હેઠળ પોલીસ નામો દૂર કરે છે

Karnavati 24 News

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના પ્રયાસોથી ગીર ફોરેસ્ટને લીધે વિલંબિત તમામ મીટરગેજ લાઈનોના ગેજ પરિવર્તનના કામો રેલવે બોર્ડ તરફથી પ્રાયોરિટીમાં લેવામાં આવ્યા

Karnavati 24 News

पिछले 5 वर्षों में नोटा के लिए 1.29 करोड़ वोट डाले गए: पोल राइट्स बॉडी

Karnavati 24 News
Translate »