Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

રાજકોટમાં જાણો વિજય રુપાણીની સીટ પર કોણે કરી દાવેદારી, રુપાણીનું નામ લિસ્ટમાં નહીં

રાજકોટમાં પણ બીજેપીની સેન્સની પ્રક્રીયા આજે હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજકોટમાં પશ્ચિમની બેઠક પરથી એડવોકેટ અનિલ દેસાઈએ વિજય રૂપાણીની સીટ પર દાવેદારી નોંધાવી છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર આ બેઠક પરથી  પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. તેમણે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે,  હું જનસંઘનો કાર્યકર છું. કાર્યકરો અને સમર્થકોના સમર્થનથી દાવેદારી નોંધાવી છે. પક્ષ જેને ટિકિટ આપે તેને જીતાડવા કાર્યકરો મક્કમ છે. દરેકને ટિકિટ માંગવાનો અધિકાર છે. વિજય રૂપાણીની ટિકિટ અંગે તેમણે કહ્યું કે, અમે કમળને વિજય બનાવીશું.

પૂર્વ સીએમ વિજય રુપાણીનું જ લિસ્ટમાં નામ નથી 

રાજકોટમાં શહેર વિસ્તારમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું દાવેદારોના લિસ્ટમાં નામ જ નથી. તેમની ચૂંટણી લડવાની ઈચ્છા છે પરંતુ તેમનું દાવેદારોના લિસ્ટમાં નામ ના હોવાથી તેમના ચૂંટણી લડવાને લઈને અનેક તર્ક વિતર્ક પણ જોવામાં આવી રહ્યા છે.

આ નેતાઓએ પણ રાજકોટમાં નોંધાવી દાવેદારી 

રાજકોટ કોર્પોરેશનના શાસક પક્ષના નેતા વિનુ ધવાએ રાજકોટ દક્ષિણ બેઠક પર દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, તેઓ રાજકોટની ચારેય બેઠકો પર સ્થાનિક દાવેદારોને ટિકિટ આપવા માંગે છે. બહારથી આયાત કરાયેલા દાવેદારોને લઈને કાર્યકરોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જેના કારણે ભરત બોગરાને ટિકિટ મળવાની શક્યતાઓ ઘટ્યા છે.

संबंधित पोस्ट

પંજાબ ભાજપને શાહનો સંદેશ: સંપૂર્ણ કેન્દ્રીય નેતૃત્વ સાથે સખત મહેનત કરો; વરિષ્ઠ નેતાઓ સાથે બંધ બેઠક

Karnavati 24 News

શિવસેનાએ પોતાના બળવાખોર ધારાસભ્યોને ફરી ચેતવણી આપી અને ભાજપ પર પ્રહાર કર્યા

Karnavati 24 News

જામનગર કોંગ્રેસનો ગઢ, ભાજપ માટે કપરા ચઢાણ છતાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો

Admin

ઉદ્ધવને વધુ એક ઝટકો! CAG કરશે BMCની બે વર્ષની તપાસ, શિંદેનો આદેશ

Admin

ડબલ ટેક્સ સામે સ્થાનિકોનો વિરોધ:ગાંધીનગર પાલિકાના મિલ્કતની ટ્રાન્સફર ફી લેવાના નિણૅય સામે નાગરિકોનો વિરોધ, સ્ટેમ્પ ડ્યુટીની સાથે મિલ્કત વેરો પણ લેવામાં આવતાં કમિશ્નરને રજૂઆત

Karnavati 24 News

સહકારી આગેવાન દિલીપ સંઘાણી ને લઈને સોશ્યલ મીડિયામાં વિવાદક સ્પદ નિવેદન ને લઈને દિલીપ સંઘાણી ની વાહરે આવ્યા ભારતીય જનતા પાર્ટી ને આગેવાનો અને કાર્યકર્તાઓ

Karnavati 24 News