Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

TMC નેતા સામે બળાત્કારનો કેસ, અધીર રંજનનો સવાલ મમતાના શાસનમાં શું થઈ રહ્યું છે?

પશ્ચિમ બંગાળમાં સત્તાધારી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના એક નેતા વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. લોકસભામાં કોંગ્રેસના અધીર રંજન ચૌધરીએ મમતા રાજના શાસનમાં બંગાળમાં મહિલા સુરક્ષાની ખરાબ સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે સીએમ બેનર્જીને પત્ર લખીને આ કેસમાં નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગ કરી છે.

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે તૃણમૂલ કોંગ્રેસના બ્લોક પ્રમુખે રાણીનગરમાં જિલ્લા સ્તરની મહિલા નેતા પર કથિત રીતે બળાત્કાર કર્યો હતો. આ અંગે રાણીનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ આ અંગે પશ્ચિમ બંગાળ સરકાર અને સીએમ મમતા બેનર્જીને આડે હાથ લીધા છે. ચૌધરીએ કહ્યું કે રાજ્યમાં મહિલાઓની સુરક્ષાની સ્થિતિ ચિંતાજનક છે. મહિલા મુખ્યમંત્રી હોવા છતાંપણ મહિલાઓ સુરક્ષતિ થઇ નથી.

રાજ્યની સ્થિતિ આશ્ચર્યજનક 

કોંગ્રેસ નેતાએ કહ્યું કે જો ગૌરક્ષકો પણ ભક્ષક બની જાય તો આનાથી મોટી ચિંતા શું હોઈ શકે? જો શાસક પક્ષના નેતાઓ આવી પ્રવૃતિઓમાં સંડોવાયેલા હશે તો રાજ્યમાં મહિલાઓ ક્યારેય સલામતી અનુભવશે નહીં. મમતા બેનર્જીને લખેલા પત્રમાં ચૌધરીએ સંબંધિત પોલીસ અધિકારી દ્વારા મામલાની નિષ્પક્ષ તપાસ અને ગુનેગારોને કડક સજા અને પીડિતાને ન્યાય આપવાની માંગ કરી છે.

संबंधित पोस्ट

ચાર યુવકોની રોમિયોગીરી, મહિલા પોલીસને ઓળખી ના શક્યા, છેડતી કરતા ઝડપાયા

Karnavati 24 News

ફટાકડા ભરેલ કન્ટેઇનરમાં આગ લાગી હોવાનું સમજી ગભરાયેલા લોકોએ બિયર સમજી હેન્ડ વૉશ-પરફ્યુમની લૂંટ ચલાવી

धारदार हथियार से सिर पर हमलाकर होमगार्ड की वृद्ध मां की हत्‍या, हत्‍यारे ने एक उंगली भी काट डाली

Admin

ઈન્સ્ટાગ્રામમાં વિદ્યાર્થિનીના આઠ ફેઈક આઈ. ડી. બનાવી બદનામ કરવા પ્રયાસ

Karnavati 24 News

ઉડતા ગુજરાત : અમદાવાદના ધોરણ 11ના વિદ્યાર્થી પાસેથી ડ્રગ્સ અને ઈ-સિગારેટ મળી

Admin

पति ने बेवफाई की तो पत्नी ने रचाई 9 शादियां, बियर बार में पकड़ी गई

Admin