Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ગાંધીનગરમાં છાવણી ખાતે દિવ્યાંગ ભાઈઓ-બહેનોએ પોતાની માંગણીઓ સ્વીકારવા આંદોલન કર્યું,સરકાર હવે દિવ્યાંગ ભાઈઓ-બહેનોના આંદોલનથી ચિંતિત

ગુજરાતમાં આંદોલનોએ વેગ પકડ્યો છે ત્યારે પાટનગર ગાંધીનગરના છાવણી મેદાન ખાતે દિવ્યાંગ ભાઈ બહેનો મોટીસંખ્યામાં એકઠા થયા હતા . દિવ્યાંગ ભાઈ – બહેનોએ છાવણી ખાતે ધરણા યોજી સુત્રોચ્ચાર કર્યા હતા .ગુજરાત સરકાર આ વખતે આંદોલનના ચક્કરમાં ફસાતી દેખાઈ રહી છે.વિદ્યાર્થી ઓ ,સરકારી કર્મચારીઓ, આઉટ સોર્સ ના કર્મચારીઓ, આંગણવાડી બહેનો,નિવૃત કર્મચારીઓ,જવાનો, દિવ્યાંગો,ખેડૂતો જેવા દરેક વર્ગના માણસો ગુજરાતમાં આંદોલનના રસ્તે ચાલી રહ્યા છે જેના કારણે ગુજરાત સરકાર રાજકીય રીતે દબાણ અનુભવી રહી છે. દિવ્યાંગો દ્વારા પોતાના પડતર પ્રશ્નોનો ઝડપી ઉકેલ માટે રાજયના મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. દરેક દિવ્યાંગને મહિને પેન્શન આપવાની રજુઆત કરવામાં આવી હતી . ગુજરાત રાજયમાં નોંધણી પ્રમાણે ૧૨ લાખ દિવ્યાંગ ભાઈ બહેનો છે . હાલની કમરતોડ મોઘવારીમાં જીવન નિર્વાહ માટે સત્તામંડળ ગાંધીનગર આયોજન દિવ્યાંગ ભાઈ બહેનોની હાલત કફોડી બની છે . ત્યારે દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા દિવ્યાંગોના મુદ્દે ધરણા યોજી જીવન ધોરણને ઉંચુ લાવવા માટે તેમજ દિવ્યાંગોને રોજગાર , પેન્શન , સરકારી નોકરીમાં ભરતી ,સરકારી સહાય જેવા ગંભીર મુદ્દાઓ પર છેલ્લા ૪ વર્ષથી સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવી છે છતાં આજ દિન સુધી કોઈ માંગણીઓ નિકાલ થયો નથી જેના ભાગરૂપે આ આંદોલન કરવામાં આવ્યું હતું.

संबंधित पोस्ट

23 જાન્યુઆરી 2022ના રોજ પાટણ જિલ્લામાં 0થી 5 વર્ષ સુધીના તમામ બાળકોને રસીના ટીપા પીવડાવાશે

Karnavati 24 News

વસૂલી અને ભ્રષ્ટાચાર યુક્ત સિનિયર પોલીસ અધિકારીઓની ધરપકડ કરવાની માગ સાથે જૂનાગઢમાં આમ આદમી પાર્ટીએ આપ્યું આવેદનપત્ર

Karnavati 24 News

ભારત જોડો યાત્રા પછી, 26 જાન્યુઆરીથી કોંગ્રેસ શરુ કરશે હાથથી હાથ જોડો અભિયાન

Admin

 દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-૧૯ ને લઇને એક પત્રકાર પરિષદ

Karnavati 24 News

રક્ષા શક્તિ યૂનિવર્સિટી એક એક કેમ્પસ અન્ય રાજ્યોમાં ખૂલે તે પ્રકારે કામ કરશે : અમિત શાહ

Karnavati 24 News

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨

Karnavati 24 News