સંતસુરા અને સાવજ ની ભૂમિ જૂનાગઢમાં લોકજાગૃતિના શંખનાદ માટેનો એક કાર્યક્રમ જાગૃત નાગરિક દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનું નામ જુનાગઢ ભ્રમણ ઓટો રિક્ષામાં એવું નામ આપવામાં આવ્યું છે આ માટેની આમંત્રણ પત્રિકા પણ છપાવવામાં આવી છે આમંત્રિત મહાનુભાવ તરીકે માનનીય કલેકટર શ્રી કમિશનર શ્રી મેયર શ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ને સહકુટુંબ આમંત્રણ આપવામાં આવ્યું છે કાર્યક્રમનો હેતુ એવો છે કે વર્તમાન સમયમાં જૂનાગઢવાસીઓને રોડ રસ્તા બાબતે ભોગવી પડતી હાડમારી હાલાકી તન મન ધનની નુકસાની જેવી બાબત તો થી આપ સાહેબને અવગત કરવાના એકમાત્ર શુભ હેતુથી 18 8 2022 ના રોજ મોતીબાગ વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરથી કાળવા ચોક સુધી જુનાગઢ ભ્રમણ ઓટોરિક્ષામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે જેમાં આપ સાહેબો માટે અલગ અલગ ઓટો રીક્ષા ની વ્યવસ્થા કરવામાં આવશે જેમાં બેસીને અને કાળવા ચોક સુધી આપ સાહેબોને મુસાફરી કરાવવામાં આવશે કાળવા ચોકમાં આ કાર્યક્રમનું સમાપન આપ સાહેબોને થયેલા વ્યક્તિગત અનુભવોને શહેરીજનો સમક્ષ વર્ણવી અને કરવામાં આવશે આવો અનોખો કાર્યક્રમ આપી જાગૃત નાગરિક તુષારભાઈ સોજીત્રા દ્વારા તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે