Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનોરાજકારણ

પેપર લીક મામલે કમલમમાં વિરોધ કરતા આમ આદમી પાર્ટીના નેતાઓને મળ્યા જામીન

આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી સહિતના 55 નેતાઓને જામીન આપવામાં આવ્યા છે. 10 દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે પેપર લીક મામલે વિરોધ પ્રદર્શન કરતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

20 ડિસેમ્બરે ભાજપના હેડ ક્વાર્ટર કમલમ ખાતે ગૌણ સેવા પસંદગી મંડળમાં હેડ ક્લાર્ક પેપર લીક મામલે વિરોધ પ્રદર્શન કરતા ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી સહિતના 55 નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તે બાદ આપના નેતાઓ સહિત ટોળા સામે છેડતી સહિતની 18 કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે ટોળામાંથી 93 લોકોની ધરપકડ કરી હતી જેમાંથી 28 મહિલા અને 65 પુરૂષને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી મહિલાઓને શરતી જામીન આપવામાં આવ્યા હતા બાકીના 65 કાર્યકરમાંથી 10ને જામીન આપ્યા હતા જ્યારે બાકી કાર્યકરોની જામીન અરજી આજે સેશન્સ કોર્ટે મંજૂર કરી છે.

ભાજપના મહિલા મોરચાના ઉપાધ્યક્ષ શ્રદ્ધા રાજપૂતે આપના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર કમલમ ખાતે ગેરકાયદે મંડળી રચી આશરે 500 માણસનું ટોળુ એક સંપ થઇને કમલનો ગેટ તોડીને અંદર પ્રવેશ કરી, પગથિયા પર બેસી અંદર આવવા-જવાનો રસ્તો રોકી, મહિલા કાર્યકરો સાથે શારીરિક અડપલા કરી મારામારી કરી હતી. ભાજપના કાર્યકરો તથા પોલસી પર તેમના હાથમાં રહેલા બેનરો લગાડેલી લાકડીનો હથિયાર તરીકે ઉપયોગ કરી ઇજા પહોચાડી હતી. ઇસુદાન ગઢવી નશાની હાલતમાં જણાતા તેમના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી.

संबंधित पोस्ट

Govind Namdev to return with Radhe Your Most Wanted Bhai: ‘Salman Khan comes with a lot of positivity’

Admin

 જામનગરમાં વરલીના આકડા લેતો એક સખ્સ પકડાયો, નામચીન સખ્સની સંડોવણી ખુલી

Karnavati 24 News

અરુણાચલ પ્રદેશ: સીએમ પેમા ખાંડુના ભાઈનું નિધન, બીજેપી ધારાસભ્ય હતા જંબે તાશી

Admin

 મોરકંડા રોડ પર ચાર સખ્સોએ પિતા-પુત્ર પર હુમલો કરી ગંભીર ઈજા પહોચાડી

Karnavati 24 News

 જૂનાગઢના ટ્રાફિકથી ધમધમતા જયશ્રી રોડ પર દિનદહાડે તિક્ષણ હથિયારના ઘા ઝીંકી ચોરવાડના યુવાનની હત્યા

Karnavati 24 News

રાષ્ટ્રપતિ પદના NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને મળ્યું વધુ એક પક્ષનું સમર્થન

Karnavati 24 News