Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનોરાજકારણ

પેપર લીક મામલે કમલમમાં વિરોધ કરતા આમ આદમી પાર્ટીના નેતાઓને મળ્યા જામીન

આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી સહિતના 55 નેતાઓને જામીન આપવામાં આવ્યા છે. 10 દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ ખાતે પેપર લીક મામલે વિરોધ પ્રદર્શન કરતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

20 ડિસેમ્બરે ભાજપના હેડ ક્વાર્ટર કમલમ ખાતે ગૌણ સેવા પસંદગી મંડળમાં હેડ ક્લાર્ક પેપર લીક મામલે વિરોધ પ્રદર્શન કરતા ગોપાલ ઇટાલિયા, ઇસુદાન ગઢવી સહિતના 55 નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તે બાદ આપના નેતાઓ સહિત ટોળા સામે છેડતી સહિતની 18 કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે ટોળામાંથી 93 લોકોની ધરપકડ કરી હતી જેમાંથી 28 મહિલા અને 65 પુરૂષને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી મહિલાઓને શરતી જામીન આપવામાં આવ્યા હતા બાકીના 65 કાર્યકરમાંથી 10ને જામીન આપ્યા હતા જ્યારે બાકી કાર્યકરોની જામીન અરજી આજે સેશન્સ કોર્ટે મંજૂર કરી છે.

ભાજપના મહિલા મોરચાના ઉપાધ્યક્ષ શ્રદ્ધા રાજપૂતે આપના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર કમલમ ખાતે ગેરકાયદે મંડળી રચી આશરે 500 માણસનું ટોળુ એક સંપ થઇને કમલનો ગેટ તોડીને અંદર પ્રવેશ કરી, પગથિયા પર બેસી અંદર આવવા-જવાનો રસ્તો રોકી, મહિલા કાર્યકરો સાથે શારીરિક અડપલા કરી મારામારી કરી હતી. ભાજપના કાર્યકરો તથા પોલસી પર તેમના હાથમાં રહેલા બેનરો લગાડેલી લાકડીનો હથિયાર તરીકે ઉપયોગ કરી ઇજા પહોચાડી હતી. ઇસુદાન ગઢવી નશાની હાલતમાં જણાતા તેમના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી.

संबंधित पोस्ट

વિદ્યાર્થિની સાથે છેડતીને લઈને થઈ ઝપાઝપી, ત્યારે જ આરોપી યુવક તળાવમાં પડ્યો, પછી…

Karnavati 24 News

દાહોદ એલસીબી પોલીસે પરથમપુર ગામે રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની બોટલો નંગ 384 કિંમત 39,792 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી મકાન માલિક સામે ગુનો દાખલ કર્યો

“રાહુલ ગાંધીના શબ્દોથી દેશનું માથું શરમથી ઝુકી ગયું”: CM શિવરાજ

Karnavati 24 News

આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા જનહિતની લડાઈ શરૂ કરાશે

Admin

ઇન્ડિયા ગેટ પર હવે કેમ નહી સળગે અમર જવાન જ્યોતિ, કોંગ્રેસના આરોપો પછી મોદી સરકારની સ્પષ્ટતા

Karnavati 24 News

લક્ષાંક સામે જિલ્લામાં 2 દી’માં 40109 બાળકો રસી લેતાં 50 ટકા રસીકરણ પૂર્ણ

Karnavati 24 News
Translate »