Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

પોરબંદરમાં યોજાતા જન્માષ્ટમીનાં લોકમેળામાં પાલિકાએ ૩ કરોડનો વીમો લીધો ! !

પોરબંદર-છાંયા નગરપાલિકા જન્માષ્ટમીનાં પાંચ દિવસનાં મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. બે વર્ષ બાદ યોજાતા આ લોકમેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોય ત્યારે કોઇ દુર્ઘટના સર્જાય તો પાલિકાએ આ માટે ૩ કરોડનો વીમો લીધો હોવાનું જાણવા મળી રહયું છે. કોરોના કાળમાં બે વર્ષ બાદ પોરબંદરમાં જન્માષ્ટમીનાં લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૮ થી રર ઓગસ્ટ સુધી એટલે પાંચ દિવસ સુધી પોરબંદરનાં ચોપાટી મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં પોરબંદર ઉપરાંત અન્ય વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં લોકો મેળાને માણવા માટે આવશે. આ મેળા દરમિયાન કોઇ દુર્ઘટના ન સર્જાય તે માટે પાલિકા દ્વારા તકેદારીનાં તમામ પગલા લેવામાં આવ્યાં છે. તેમ છતાં કમનસીબે કોઇ દુર્ઘટના સર્જાય તો યોગ્ય વળતર મળી રહે તે માટે પોરબંદર-છાંયા નગરપાલિકા દ્વારા મેળાનો ૩ કરોડનો વીમો લીધો હોવાનું જાણવા મળી રહયું છે. કારણ કે મેળામાં વિવિધ પ્રકારની રાઇડ તેમજ ખાણીપીણીનાં સ્ટોલ પણ રાખવામાં આવ્યાં છે. આ મેળા દરમિયાન કોઇ દુર્ઘટના સર્જાય તો અસરગ્રસ્તને યોગ્ય વળતર મળી રહે તે માટે પાલિકાએ ૩ કરોડનો વીમો લીધો છે. ભુતકાળમાં પોરબંદરનાં લોકમેળામાં દુર્ઘટના સર્જાઇ હતી તેનું પુનરાવર્તન ન થાય તે માટેનાં પગલા પણ પાલિકા દ્વારા લેવામાં આવ્યાં છે.

મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમની જમાવટ થશે
પોરબંદર-છાંયા નગરપાલિકા દ્વારા જન્માષ્ટમીનાં પાંચ દિવસનાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું  છે. જેમાં રાત્રિનાં સમયે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.૧૮મીનાં રોજ સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરાશે. તા.૧૯નાં રોજ એટલે કે જન્માષ્ટમીનાં દિવસે અન્ય શહેરની ઓરકેસ્ટ્રા દ્વારા મ્યુઝીકલ નાઇટ તા.ર૦નાં રોજ નિધી ધોળકીયા દ્વારા શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ યોજાશે. તા.ર૧નાં રોજ જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડનાં લોકડાયરાનું આયોજન અને તા.રરનાં રોજ ગુજરાતી જાણીતી લોકગાયિકા ગીતા રબારીનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમ મેળામાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

संबंधित पोस्ट

વડોદરા જિલ્લામાં સામાન્ય યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં ૨ હજારથી વધુ કૃષિ વિષયક વીજ જોડાણ અપાયા: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

Gujarat Desk

રાજુલા પોલીસ સ્ટેશનમાં પડી રહેલા ૬૦ બિનવારસી વાહનોની આગામી તા.૦૬ સપ્ટેમ્બરના રોજ જાહેર હરાજી થશે

Karnavati 24 News

તળાજા તાલુકાના ઠળિયા ગામે જાહેર રસ્તા ઉપર નાખવામાં આવેલ ઉકરડા તાત્કાલિક ભરી લેવા સરપંચ દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી

Karnavati 24 News

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ SVAMITVA યોજના હેઠળ 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું

Gujarat Desk

નર્મદાના કિનારે પાકે છે સ્વાદિષ્ટ જામફળ,આ ખેડૂતે ખેતી કરી કમાલ કરી નાખી

Admin

વસ્તીના ઘોરણો ઉપરાંત જીઓ સ્પાશિયલ એનાલિસિસ અને આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાને લઇ નવીન ૩૪ નવીન P.H.C. ને વહીવટી મંજૂરી આપી

Gujarat Desk
Translate »