Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

નર્મદાના કિનારે પાકે છે સ્વાદિષ્ટ જામફળ,આ ખેડૂતે ખેતી કરી કમાલ કરી નાખી

ગુજરાતમાં પરંપરાગત ખેતી છોડીને ખેડૂતો હવે ફળોની ખેતી તરફ આગળ વધ્યા છે.તેવામાં હવે કેટલાક ખેડૂતો જામફળની ખેતી કરીને પણ મોટી આવક મેળવતા થયા છે.આવી જ રીતે એક ખેડૂત ખેતી કરીને કમાલ કરી દીધી છે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ આ ખેતી વધુ થઇ રહી છે.ભરૂચ,અંકલેશ્વર,નવસારી,ઝગડીયા સહિતના વિસ્તારોમાં ખેતી કરી મોટા પ્રમાણમાં ખેડૂતો ઉત્પાદન મેળવી રહ્યા છે.
કેટલા વિસ્તારમાં કરે છે વાવેતર 
એક માહિતી પ્રમાણે,અંકલેશ્વરના જુના બોર ભાઠા વિસ્તારમાં ખેડૂત હસમુખભાઈ અમયદાસ પટેલ તેઓ પણ જમરૂખની ખેતી કરી રહ્યા છે.તેઓ છેલ્લા 8 વર્ષ થી આ ખેતી કરીને મોટા પ્રમાણમાં ઉત્પાદન મેળવી રહ્યા છે.તે 200 જેટલી જમરૂખ તેમના ખેતરમાં વાવેતર કરે છે અને પાકને માફક આવે તે રીતે માવજત કરી અને ફાયદો મેળવે છે.
જામફળનો સ્વાદ કેવો લાગે છે.
ખાસ કરીને અહીં ખેડૂતો જણાવી રહ્યા છે કે તેઓની જમીન નર્મદાના કિનારે આવેલ હોવાને કારણે જામફળનો સ્વાદ મીઠો આવે છે.જેથી અહીંથી મીઠાશ ની વાત પણ અલગ જ હોય છે. તેમજ આ પાક શિયાળાઉં અને ચોમાસામાં થાય છે.જેથી ખેડૂતો વધુ ઉપ્તાદન મેળવી શકે છે.
ડાયરેક્ટ ખેતરેથી વેચાય છે માલ 
ખેડૂતોનું માનીએ કે તેમના જામફળ ખુબજ સ્વાદિષ્ટ અને ક્વોલિટી વાળું ઉત્પાદન મળતું હોવાને કારણે લોકો ખરીદી કરવા ડાયરેક્ટ તેના ખેતરે પહોંચી જાય છે અને ત્યાંથી જ પાકની ખરીદી કરે છે.

संबंधित पोस्ट

મોરબીના વાઘપર-ગાળા પાસે માઈનોર કેનાલમાં ગાબડું પડ્યું

Karnavati 24 News

સુરતની કામરેજ સુગર ફેક્ટરીમાં આગ,બગાસના સંગ્રહિત જથ્થામાં આગ લાગતા નાસભાગ,ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો.!

Karnavati 24 News

 હળવદના ચરાડવા નજીક એસટીના ચાલકે મોટર સાઈકલને હડફેટે લેતા આધેડનું મોત

Karnavati 24 News

 UKથી આવેલી 27 વર્ષિય યુવતિ ઓમિક્રોન પોઝીટીવ, શહેરમાં ત્રીજો કેસ નોંધાયો

Karnavati 24 News

જુનાગઢ જિલ્લામાં 4175 પોલિંગ કર્મીઓ દ્વારા કરવામાં આવ્યું હતું મતદાન

Admin

“શાહે આલમ સરકાર” ઉરસ વર્ષ : ૫૬૩

Karnavati 24 News