જુનાગઢ શહેરની મધ્યમાં આવેલા મહાનગર સેવાસદન એક મોટા કોમ્પ્લેક્સ જેવડું બનાવવામાં આવ્યું છે જેમાં અનેક દુકાનો બનાવીને વેચવામાં આવી છે પણ એ દુકાનો ખરીદનાર વેપારીઓને દસ્તાવેજ સિવાય કોઈ કાગળ કે ફાઈલ આપવામાં આવતી નથી જેનાથી વેપારીઓને દુકાન ઉપર લોન પણ મળતી નથી અને અન્ય કામ પણ થઈ શકતા નથી આ મામલે વેપારીઓએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં કમિશ્નર દ્વારા કોઈ પ્રત્યુતર મળતો નથી આ વેપારીઓએ કમિશ્નરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અમે લોકોએ મહાનગરપાલિકા પાસેથી આ દુકાનો વેચાણ દસ્તાવેજથી ખરીદી છે તેમાં માત્ર દસ્તાવેજ આપવામાં આવ્યા છે અન્ય જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે બાંધકામનો ઠરાવ તેમની મંજૂરી નકશાઓ કંઈ જ આપવામાં આવ્યું નથી જેના કારણે અહીં દુકાનો લેનાર વેપારીઓ મુશ્કેલી વેઠી રહ્યા છે આટલું જ નહીં મહાનગરપાલિકા વેપારીઓને સ્પષ્ટ કહે છે કે વેચાણ દસ્તાવેજ સિવાયના કોઈ જરૂરી કાગળોની ફાઈલ મહાનગરપાલિકા પાસે ઉપલબ્ધ નથી એવા સંજોગોમાં મહાનગરપાલિકાએ પોતાની જ કચેરીને સેવાસદન નામ આપ્યું છે એજ ગેરકાયદે છે જો આ બાંધકામ ગેરકાયદે કરવામાં આવ્યું હોય તો તેની કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફીના કાયદાનો લાભ લઈને કાયદેસર કરાવી લેવાથી વેપારીઓને પણ તેની કાયદેસર ફાઈલ મળવાથી તેની મિલકત સરકારી કાર્ય માટે જરૂરી કાર્યમાં ઉપયોગી થઈ શકે એટલું જ નહીં મહાનગર સેવાસદન પણ ગેરકાયદે છે એવું મેણું ભાંગી જાય.