Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

Shaheed Bhagat Singh Football Cup: આ મોટા ફૂટબોલ ટુનામેન્ટનું આયોજન કરશે કેજરીવાલ સરકાર

દિલ્હી સરકારે ફૂટબોલને પ્રોત્સાહન આપવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેજરીવાલ સરકાર શહીદ ભગત સિંહ ફૂટબોલ કપનું આયોજન કરી રહી છે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સોમવારે (11 જુલાઈ) ત્યાગરાજ સ્ટેડિયમ ખાતે આ ફૂટબોલ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ ટુર્નામેન્ટ 2 મહિના સુધી ચાલશે જેમાં 20 ટીમો વચ્ચે 98 મેચનું આયોજન કરવામાં આવશે. ટૂર્નામેન્ટમાં અંડર 18 અને 22 વર્ષથી ઓછી વયના ખેલાડીઓ ભાગ લઈ શકશે. ટૂર્નામેન્ટની વિજેતા ટીમને 5 લાખ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે. જ્યારે  રનર્સ-અપ ટીમ અને ત્રીજા સ્થાને રહેલી ટીમને અનુક્રમે 2.5 લાખ અને 1 લાખ રૂપિયા આપવામાં આવશે.

સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીને 1 લાખ રૂપિયાની ઈનામી રકમ સાથે ‘ગોલ્ડન બૂટ એવોર્ડ’ આપવામાં આવશે. દિલ્હીના 5 અલગ-અલગ સ્ટેડિયમમાં મેચોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ મેચોનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવનાર છે.

સિસોદિયાએ આ વાત કહી

મનીષ સિસોદિયાએ કહ્યું કે, દિલ્હીમાં પ્રથમ વખત આટલા મોટા પાયા પર દિલ્હીની ફૂટબોલ ક્લબને એક સાથે લાવીને ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે, તેનાથી દિલ્હીમાં ફૂટબોલ સંસ્કૃતિને વેગ મળશે.”આ પ્રકારની ટુર્નામેન્ટો માત્ર દિલ્હીને ફૂટબોલના ક્ષેત્રમાં ટોપર્સ બનવામાં મદદ કરશે નહીં, પરંતુ અમે ફૂટબોલના ઉભરતા સિતારાઓને ઓળખવામાં પણ સક્ષમ થઈશું. ફુટબોલને પ્રોત્સાહન આપવા અને ખેલાડીઓને વિશ્વ કક્ષાની સુવિધાઓ પુરી પાડવા માટે સરકાર દ્વારા કૈર, મુંડેલા અને આણંદવાસ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાના 3 કૃત્રિમ ફૂટબોલ મેદાનો પણ વિકસાવવામાં આવ્યા છે.

આ મોટી ટુર્નામેન્ટ ભારતમાં થશે

ફૂટબોલની વાત કરીએ તો, સુનીલ છેત્રીની કપ્તાની હેઠળની ભારતીય ટીમ તાજેતરમાં AFC એશિયન કપ માટે ક્વોલિફાય કરવામાં સફળ રહી હતી. ભારત આ વર્ષના અંતમાં ઓક્ટોબરમાં અંડર-17 મહિલા વર્લ્ડ કપની યજમાની કરવા જઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટની મેચો 11 થી 30 ઓક્ટોબર સુધી ત્રણ શહેર ભુવનેશ્વર, ગોવા અને નવી મુંબઈમાં યોજાશે. ભારત પ્રથમ દિવસે યુએસએ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે

संबंधित पोस्ट

આગામી 5 મહિનામાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો 4 ટીમો સાથે, સાઉથ આફ્રિકાથી બદલો લેવાની તક પણ મળશે, જુઓ શેડ્યૂલ

Karnavati 24 News

 નડિયાદમાં રાજ્યકક્ષાની ત્રી દિવસીય એથ્લેટીક્સ સ્પર્ધા યોજાઈ , 1100 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો

Karnavati 24 News

તે મારા જીવનની સૌથી સારી ગિફ્ટ છે…જન્મદિવસ પર કોની યાદમાં ભાવુક થયો હાર્દિક પંડ્યા

અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ટીમ ઈન્ડિયા, 4 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડીમમાં ક્રિકેટ મેચ

Admin

टीम इंडिया को लेकर बड़ा अपडेट, पहले वनडे में रोहित नहीं होंगे कप्तान, इस खिलाड़ी को मिलेगा मौका

Karnavati 24 News

INDVsAUS: રોહિત શર્મા T20Iમાં સિક્સર કિંગ બનવાથી માત્ર એક પગલુ દૂર, માર્ટિન ગુપ્ટિલનો તોડશે વર્લ્ડ રેકોર્ડ

Karnavati 24 News
Translate »