Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અમદાવાદમાં ભારે વરસાદની આગાહી, રાજયમાં 24 કલાકમાં 7નાં મોત, 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

રાજ્યમાં ભારે વરસાદને કારણે આઠ જિલ્લાને સૌથી વધુ અસર થઈ છે, જ્યારે અનેક વિસ્તારમાં તારાજી સર્જાઇ છે ત્યારે સોમવારે સવારે રાજ્ય સરકારના ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરમાં સ્થિતિની સમીક્ષા કરવા પહોંચેલા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે જ્યાં સરકાર નથી પહોંચતી ત્યાં પત્રકારો પહોંચી જાય છે.

વાત એમ બની કે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને સમીક્ષા કર્યા બાદ પણ રાજેન્દ્ર ત્રિવેદી પાસે પૂરતી વિગતો ન હતી. તેથી તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે 24 કલાકમાં એકપણ મૃત્યુ થયું નથી. સ્થળાંતરના આંકડા પણ તેમની પાસે ન હતા. બીજી તરફ માધ્યમોએ પોતાના સંપર્કોથી મોતના આંકડા સહિતની વિગતો એકત્ર કરી હતી જે તેમની સમક્ષ રજૂ કરતા મંત્રીએ સાંજે ફરી પ્રેસ કોન્ફરન્સ બોલાવીને આંકડા રજૂ કરવા પડ્યા હતા. જેમાં છેલ્લા 24 કલાકમાં સાત લોકોના મૃત્યુ થયા હોવાની વિગતો તેમણે આપી હતી.

જ્યારે 272 પશુના મોત થયા છે. માનવ મૃત્યુમાં 33 લોકોના વીજળી પડવાથી, આઠ લોકોના દીવાલ પડવાથી, 16 લોકોના ડૂબી જવાથી, 6 લોકોના ઝાડ પડવાથી જ્યારે એક વ્યક્તિનું થાંભલો પડવાથી મૃત્યુ થયું હતું. ભારે વરસાદને કારણે ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લા અસરગ્રસ્ત બન્યા છે. આ વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની 18-18 ટીમો તહેનાત છે. એનડીઆરએફની 5 ટીમ પંજાબથી એરલિફ્ટ કરાઈ છે, જેને દક્ષિણ ગુજરાત મોકલાઇ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કંટ્રોલ રૂમ પહોંચીને સ્થિતિની સમીક્ષા કરી હતી અને પ્રભારી મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લામાં તાત્કાલિક પહોંચી જઇને વહીવટી તંત્રની સાથે રહીને રાહત- બચાવની કામગીરીમાં મદદરૂપ થવા સૂચના આપી હતી.

વડાપ્રધાન મોદીએ સીએમને ફોન કરી વરસાદની સ્થિતિની સમીક્ષા કરીઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં થયેલા ભારે વરસાદને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી વરસાદથી સર્જાયેલી સ્થિતિની વિગતો મેળવી હતી. મોદીએ સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફ સહિતની તમામ જરૂરી મદદની ખાતરી આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીતમાં મદદની ખાતરી આપી હતી.

संबंधित पोस्ट

અરવલ્લી જિલ્લા માં લોકભાગીદારી સાથે બનશે પોલીસ ચોકી બનશે .

Admin

મોડેલ ડે સ્કૂલ સણોસરા માં NCC દિવસ ની ઉજવણી કરાય

Admin

સુરત માં શિવરાત્રી ને લઈ શિવાલયો મા ભક્તો નું ઘોડા પુર ઉમટયું

Karnavati 24 News

 સ્વતંત્રતા પછી પહેલીવાર ખંભાતના પાંદડ ગામે ક્ષત્રિય મહિલા સરપંચે દલિત સમાજ સાથે મંદિરમાં પ્રવેશ કર્યો

Karnavati 24 News

*ભ્રષ્ટાચાર ની દોડ માં અંધ બનેલ તંત્રની ઘોર બેદરકારી વર્ષો થી રોડ ઉપર છે ખુલ્લા વાયર *

Karnavati 24 News

મોરબી એસપી કાર્યાલય ખાતે પીએમ મોદીએ બેઠક કરી, આપ્યા આ સૂચનો

Admin