T20 સિરીઝની ફાઇનલ અમદાવાદમાં રમાશે ત્યારે ટીણ ઈન્ડિયા અત્યારે અમદાવાદ ખાતે પહોંચી હતી. ત્રણ મેચની શ્રેણીમાં બન્ને એક એકની બરાબર છે ત્યારે અમદાવાદમાં ફાઈનલ મેચ રમાશે. એરપોર્ટ પર ટીમ ઈન્ડિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાની નજર અમદાવાદમાં રમાનારી ત્રીજી T20 મેચમાં સિરીઝ પર કબજો કરવા માટે રહેશે. બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ રમાશે. ટીમ ઇન્ડિયા અમદાવાદમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચરમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સીરીઝની છેલ્લી મેચ બંને ટીમો માટે મહત્વની છે. જે ટીમ છેલ્લી મેચ જીતશે તે શ્રેણી કબજે કરશે.
વર્તમાન T20 શ્રેણીમાં બંને ટીમો 1-1 મેચ જીતીને બરાબરી પર છે. રાંચીમાં રમાયેલી પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડે 21 રને જીતી હતી. લખનઉમાં રમાયેલી બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ વળતો પ્રહાર કર્યો અને કીવીને 6 વિકેટથી હરાવ્યું. ત્રીજી મેચ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતના T20 રેકોર્ડ વિશે તમને જણાવીએ.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સમગ્ર ભારતમાં 6 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. ટીમ ઈન્ડિયાએ વર્ષ 2012માં પાકિસ્તાન સામે પ્રથમ ટી20 મેચ રમી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી અહીં અડધો ડઝન મેચ રમાઈ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતનો રેકોર્ડ સારો છે. ભારતીય ટીમે અહીં 6માંથી 4 ટી20 મેચ જીતી છે. ભારત આ મેદાન પર માત્ર ટી-20 મેચમાં ઈંગ્લેન્ડ સામે હાર્યું છે. ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને બે મેચમાં હરાવ્યું છે. ભારતીય ટીમે અમદાવાદમાં છેલ્લી સતત બે મેચ જીતી છે. અહીં ભારતના મજબૂત રેકોર્ડ પરથી લાગે છે કે ત્રીજી મેચમાં ન્યૂઝીલેન્ડનો રસ્તો આસાન નહીં હોય.
ટીમ ઈન્ડિયા આ રેકોર્ડ જાળવી રાખશે
ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે પોતાનો રેકોર્ડ જાળવી રાખવા માંગશે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયા 2017થી તેની ધરતી પર ન્યૂઝીલેન્ડ સામેની ટી20 શ્રેણીમાં અજેય છે. વર્ષ 2017માં ભારતે ટી-20 સિરીઝમાં કિવિઓને 2-1થી હરાવ્યું હતું. 2021માં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 3-0થી હરાવ્યું હતું. કિવિએ વર્ષ 2012માં ભારતીય ધરતી પર છેલ્લી વખત શ્રેણી જીતી હતી. ત્યારબાદ ન્યુઝીલેન્ડે ભારતને 2 મેચની T20 શ્રેણીમાં 1-0થી હરાવ્યું હતું.