Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સુરતના મહારાણા પ્રતાપ ચોક ગોડાદરાથી મગોબ પુણા પાટીયા સુધી કરણી સેના રેલી યોજીને સભા યોજશે

સુરતના મહારાણા પ્રતાપ ચોક ગોડાદરાથી મગોબ પુણા પાટીયા સુધી કરણી સેના રેલી યોજીને સભા યોજશે

આગામી વિધાનસભાની તૈયારીમાં તમામ રાજકીય પક્ષો જોતરાઈ ગયા છે. ત્યારે રાજકિય લાભ લેવા માટે સમાજના આગેવાનોએ પણ મેદાનમાં ઉતરી પડ્યા છે. પોતાના સમાજને વધારેમાં વધારે રાજકીય પ્રભુત્વ મળે તે દિશામાં માંગણી થવાની શરૂ થઈ ગઈ છે.રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાઅધ્યક્ષ રાજ શેખાવતે મીડિયાને સંબોધન કરતા તેમણે કહ્યું કે, આગામી 17મી જુલાઈના રોજ ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી અને મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં અમારા સંગઠિત થયેલા સમાજ વતી અમે ટિકિટની માગ બળવતર કરીશું.સાથે જ જે રાજકીય પાર્ટી રાજપૂત સમાજના પ્રતિનિધિઓને ટિકિટ આપશે તેમને અમે સમર્થન આપીશું.

2022માં વિધાનસભાની ચૂંટણીમાં 25થી 30 ટકા ટીકિટની માગ કરવામાં આવી છે. રાજકીય પાર્ટી ટીકિટ નહીં આપે તો અમે અમારા ઉમેદવારને વિપક્ષમાં લડવાની તૈયારી બતાવી. અમારે અમારું રજવાડું પરત જોઈએ છે. અમે કોઇ પાર્ટીને મહત્ત્વ નથી આપતા.ભાજપ, કોંગ્રેસ , આપ કે NCP જે પાર્ટી અમને ટીકિટ આપશે તે પાર્ટીને અમે જીતાડીશું.
સુરતના મહારાણા પ્રતાપ ચોક ગોડાદરાથી મગોબ પુણા પાટીયા સુધી રેલી યોજીને સભા યોજવવામાં આવશે. જેમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંગ ગોગામેડી ઉપસ્થિત રહેશે. આ રેલી દ્વારા સરપંચથી લઈને સાંસદ સુધી તમામ પદો પર રાજપૂતોને પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવી માગ કરવામાં આવશે. રાજ શેખાવતે કહ્યું કે, જે રીતે હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે. તેને લઈને અમે ફરી સુશાસન સ્થાપવા માટે લોકશાહી ધોરણે આગળ આવ્યાં છીએ.

संबंधित पोस्ट

જો તારે ઈકો માં પેસેન્જર ભરવા હોય તો પચાસ રૂપિયા આપવા પડશે નહીંતર પેસેન્જર ખાલી કરી નાખ

Karnavati 24 News

ગાયત્રી શક્તિપીઠ ગાંધીનગર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી

Gujarat Desk

૭૬મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘એટ હૉમ’ કાર્યક્રમ યોજાયો

Gujarat Desk

કલેકટર શ્રી ગાંધીનગર તથા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ કે દવે દ્વારા આગામી સમયમાં યોજાનાર માણસા નગરપાલિકાની ચૂંટણી 2025 તથા આમજા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી

Gujarat Desk

 રાજ્યની 8,684 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતગણતરી શરૂ

Karnavati 24 News

સાવરકુંડલામાં રાજ દરબાર ગઢ ખંડેર બન્યો ,ઈમલો હટાવી રીનોવેશન કરવાની માંગણી ઉઠી

Admin
Translate »