Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સુરતના મહારાણા પ્રતાપ ચોક ગોડાદરાથી મગોબ પુણા પાટીયા સુધી કરણી સેના રેલી યોજીને સભા યોજશે

સુરતના મહારાણા પ્રતાપ ચોક ગોડાદરાથી મગોબ પુણા પાટીયા સુધી કરણી સેના રેલી યોજીને સભા યોજશે

આગામી વિધાનસભાની તૈયારીમાં તમામ રાજકીય પક્ષો જોતરાઈ ગયા છે. ત્યારે રાજકિય લાભ લેવા માટે સમાજના આગેવાનોએ પણ મેદાનમાં ઉતરી પડ્યા છે. પોતાના સમાજને વધારેમાં વધારે રાજકીય પ્રભુત્વ મળે તે દિશામાં માંગણી થવાની શરૂ થઈ ગઈ છે.રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાઅધ્યક્ષ રાજ શેખાવતે મીડિયાને સંબોધન કરતા તેમણે કહ્યું કે, આગામી 17મી જુલાઈના રોજ ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી અને મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં અમારા સંગઠિત થયેલા સમાજ વતી અમે ટિકિટની માગ બળવતર કરીશું.સાથે જ જે રાજકીય પાર્ટી રાજપૂત સમાજના પ્રતિનિધિઓને ટિકિટ આપશે તેમને અમે સમર્થન આપીશું.

2022માં વિધાનસભાની ચૂંટણીમાં 25થી 30 ટકા ટીકિટની માગ કરવામાં આવી છે. રાજકીય પાર્ટી ટીકિટ નહીં આપે તો અમે અમારા ઉમેદવારને વિપક્ષમાં લડવાની તૈયારી બતાવી. અમારે અમારું રજવાડું પરત જોઈએ છે. અમે કોઇ પાર્ટીને મહત્ત્વ નથી આપતા.ભાજપ, કોંગ્રેસ , આપ કે NCP જે પાર્ટી અમને ટીકિટ આપશે તે પાર્ટીને અમે જીતાડીશું.
સુરતના મહારાણા પ્રતાપ ચોક ગોડાદરાથી મગોબ પુણા પાટીયા સુધી રેલી યોજીને સભા યોજવવામાં આવશે. જેમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંગ ગોગામેડી ઉપસ્થિત રહેશે. આ રેલી દ્વારા સરપંચથી લઈને સાંસદ સુધી તમામ પદો પર રાજપૂતોને પ્રતિનિધિત્વ આપવામાં આવે તેવી માગ કરવામાં આવશે. રાજ શેખાવતે કહ્યું કે, જે રીતે હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે. તેને લઈને અમે ફરી સુશાસન સ્થાપવા માટે લોકશાહી ધોરણે આગળ આવ્યાં છીએ.

संबंधित पोस्ट

મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખે પરિવાર સાથે પીએમ મોદીની મુલાકાત લીધી મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જનકીબેન જીગ્નેશભાઈ કૈલા અને યુવા ભાજપ અગ્રણી જીગ્નેશભાઈ કૈલા અને તેની દીકરીએ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે રૂબરૂ મુલાકાત કરી હતી આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા અને જીગ્નેશ કૈલા સાથે મોરબીની જૂની યાદોને વગોળી અને મોરબી સાથેની અતૂટ લાગણીને યાદ કરી હતી મોરબીમાં ચાલી રહેલા વિકાસના કામો અને જરૂરી વ્યવસ્થાની ખાસ ચર્ચાઓ કરી હતી મોરબીના મચ્છુ ડેમમાં રહેલા મોરબીવાસીઓના પીવાના અને ખેડૂતોના સિંચાઈના પાણી માટેની પણ પૂછપરછ કરી હતી.આ ઉપરાંત મોરબીના કોરોના બાદની મોરબી વાસીઓનો સ્થિતિ અને કોરોનાની બીજી લ્હેરમાં મોરબીવાસીઓએ કરેલી વિપરીત પરિસ્થિતિ નો તાગ મેળવી મોરબી નું મનોબળ મજબૂત હોવાનું જણાવી મજબૂત મોરબીથી પણ સંબોધન કર્યું હતું.આ સિવાય મોરબીમાં વિદ્યાર્થીઓ તેમજ પાયાની સુવિધાઓ પણ આગામી સમયમાં ક્યાં સ્તરે વિકસી તેની માહિતી મેળવી હતી. મોરબી ભાજપના કાર્યકરો અને તેના પરિવાર વિશે પણ માહિતી મેળવી હતી અને મોરબીની હાલની ભૌગોલિક અને રાજકીય સ્થિતનો પણ તાગ મેળવ્યો હતો.આ સમયે મોરબી જીલ્લા પંચાયત ના ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા ,તેના પતિ અને યુવા ભાજપ અગ્રણી જીગ્નેશ ભાઈ કૈલા અને તેની દીકરી સાથે પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ખાસ મુલાકાત કરી હતી જેમાં મોરબીના આગામી સમયમાં જરૂરી વિકાસના કામો માટે પણ જીલ્લા પંચાયત ઉપપ્રમુખ અને જીલ્લા અગ્રણી દંપતીએ રજુઆત કરી હતી.

Karnavati 24 News

રાજુલા પોલીસ સ્ટેશનમાં પડી રહેલા ૬૦ બિનવારસી વાહનોની આગામી તા.૦૬ સપ્ટેમ્બરના રોજ જાહેર હરાજી થશે

Karnavati 24 News

 રણમલ તળાવમાં મહિલાએ કુદકો લગાવતા જ કોન્સ્ટેબલ શૈલેશ ગઢવીએ જંપલાવી ઉગારી લીધા

Karnavati 24 News

ઇન્સ્પેકશન કમેટીના ચેરમેન તરીકે બી.એડ. કોલેજ , નગરાળાનું ઇન્સ્પેકશન કરી ખૂટતા સૂચનો કર્યા

Karnavati 24 News

હવાઈ મુસાફરી કરનારા મુસાફરોની મુશ્કેલીઓ થશે ઓછી, યાત્રીઓ માટે શરૂ કરાઈ આ ખાસ સેવા

Karnavati 24 News

મોરબી જિલ્લા કક્ષાએ દ્વિતીય નંબર મેળવતી તક્ષશિલા સંકુલની લોકનૃત્યની ટીમ

Karnavati 24 News