Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સાવરકુંડલામાં રાજ દરબાર ગઢ ખંડેર બન્યો ,ઈમલો હટાવી રીનોવેશન કરવાની માંગણી ઉઠી

સાવરકુંડલા શહેરની શોભા ગણાતો રાજ દરબારગઢ હાલ ખંડેર હાલતમાં જોવા મળી રહ્યો છે રાજ દરબારગઢ જવાના આગળના ગેઇટ પર દેશી વિલાયતી નળીયાઓ ઉપરથી પડું પડું થઈ રહ્યા હોય ત્યારે ગંભીર અકસ્માત ને આમંત્રણ આપતા આ રાજ દરબારગઢ ના કાટમાળનો ઇમલાઓ હટાવાની કે પછી રીનોવેશન કરવાની તાતી જરૂરીયાત જણાઈ રહી છે

કારણ કે રાજ દરબારગઢમાં અગાઉ મામલતદાર ઓફિસ, કોર્ટ, ટેલીફોન એક્સચેન્જ કચેરી, તિજોરી કચેરી, નગરપાલિકા અને એસબીઆઇ બેન્ક કાર્યરત હતી પરંતુ ધીમે ધીમે મુખ્ય ગણાતી કોર્ટ, મામલતદાર કચેરી, નગરપાલિકા, ટેલીફોન એક્સચેન્જ જેવી કચેરીઓ બંધ થઈ જતા હાલ આસ્થાનું ગણાતું મંદિર એક દરગાહ અને એસબીઆઇ બેન્ક તેમજ પેટા તિજોરી કચેરી આવેલી હોય

અને હજારો લોકો રોજની અવરજવર સાથે બેન્ક અને દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓ ઉપર અકસ્માતને આમંત્રણ આપતા વિલાયતી નળિયા સહિતનો કાટમાળ ઉપરથી પડવાના વાંકે ઊભો જણાઈ રહ્યો હોય ત્યારે સરકારી તંત્ર દ્વારા રાજ દરબારગઢમાં આગળના ગેઇટ પર અકસ્માત ને આમંત્રણ આપતા આ વિલાયતી નળીયાઓ અને કાટમાળને નિકાલ કરવો ખૂબ જરૂરી હોય તેવી પ્રબુદ્ધ લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે.

संबंधित पोस्ट

ચાર મુખ્ય કમિશ્નરેટમાં બનેલા શરીર સંબંધી ગુનાઓ પૈકી ૪૫ ટકા ગુનાઓ સાંજે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી બન્યા હોવાનું ધ્યાને આવતા ગુજરાત પોલીસે ઘડ્યો ખાસ એક્શન પ્લાન

Gujarat Desk

પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ધંધુકા તાલુકામાં પાણીલક્ષી વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરાયું

Gujarat Desk

દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા ડભવા ગામ ખાતે સગાઈ પ્રસંગમાં દેવગઢ બારીયાના મહારાજા અને પૂર્વ ધારાસભ્ય તુષાર સિંહ બાબા એ હાજરી આપી

Karnavati 24 News

કેન્દ્રના વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦૦ GW ગ્રીન એનર્જી લક્ષ્યાંકને પૂર્ણ કરવા ગુજરાત ૧૦૦ GWથી વધુની ક્ષમતા સ્થાપિત કરવા સંકલ્પબદ્ધ-ઊર્જા મંત્રીશ્રી કનુ દેસાઈ

Gujarat Desk

વિવિધ રાજ્યો દ્વારા ટેબ્લોના કલાકારો દ્વારા યોજાયેલા સાંસ્કૃતિક નૃત્ય કાર્યક્રમમાં ગુજરાતનું પ્રચલિત ‘મણિયારા રાસ નૃત્ય’ ત્રીજા ક્રમે વિજેતા

Gujarat Desk

૧૦ હજારથી વધુ વસ્તી ધરાવતા ગામો સાથે અન્ય ગામોને સાંકળી ક્લસ્ટર બનાવીને માળખાકીય સુવિધા વિકસાવાશે : પંચાયત રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ

Gujarat Desk
Translate »