Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અષાઢી બિજે મેઘરાજાએ શકુન સાચવ્યા સમગ્ર નાઘેર પંથકમાં દોંઢ ઇંચ વરસાદ વર્ષાવી ખેડૂતો ને ખુશ કર્યા

અષાઢી બિજે મેઘરાજાએ શકુન સાચવ્યા સમગ્ર નાઘેર પંથકમાં દોંઢ ઇંચ વરસાદ દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લોલ થતાં હરખની હેલી.. ઊના – ઊના ગીરગઢડા પંથકમાં છેલ્લા ઘણા સમયથી વરસાદએ વિરામ લીધેલ હતો. અને વિરામ બાદ આજે અચાનક વહેલી સવારથી વાતાવરણમાં પલ્ટો જોવા મળેલ. અને બપોરના સમયે એક વાગ્યા પછી ધોધમાર વરસાદ વરસવાનું શરૂ કરેલ અને સમી સાંજ સુધીમાં ઊના અને ગીરગઢડા પંથકમાં દોંઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. કેસરીયા, સીમાસી, સામતેર, કાણકબરડા, રામેશ્વર, પસવાળા, ગાંગડા, ખત્રીવાળ, જરગલી, વરશીંગપુર, ખાપટ સહીતના ગામોમાં ૧ થી દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે દેલવાડા, સનખડા સહીતના આજુબાજુના ગામોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડે હતો. ઊના દોંઢ ઇંચ વરસાદ વરસતા મુખ્ય માર્ગ પર તેમજ ટાવર ચોક નજીક બજારમાં રસ્તા પર પાણી ભરાતા રાહદારીઓ, વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદ વરસતા ગરમીના ઉકળાટથી ઠંડક પ્રસરી હતી. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના પાણી ભરાતા કિચડનું સામ્રાજ્ય ફેલાયેલ હતું. વરસાદના પગલે ખેડૂતોના પાકને જીવનદાન મળતા ખેડૂતોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળે છે.. બોક્ષ્ – દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો… ગીર જંગલના ઉપરવારસમાં ભારે વરસાદના કારણે દ્રોણેશ્વર મારૂતિ ધામ પાસે આવેલ દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થતાં સમગ્ર વિસ્તારમાં ધરતિપુત્રોમાં હરખની હેલી જોવા મળતી હતી.. બોક્ષ્ – વાવણી બાદ કાચુ સોનુ વરસ્યું… નાઘેર પંથકમાં દશ દિવસ પહેલા વાવણી માટે કાચુ સોનુ વરસ્યુ હોય તેમ ધરતિપુત્રો જણાવી રહ્યા છે

संबंधित पोस्ट

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા નદી ઉપર ભરૂચ નજીક આકાર પામી રહેલી ભાડભૂત બેરેજ યોજનાની પ્રગતિની સમીક્ષા કરી

Gujarat Desk

ફી બાબતે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા ન કરવા અમદાવાદ DEOનો તમામ શાળાઓને આદેશ

Gujarat Desk

ખેતીવાડી ગ્રાહકોને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહે તે માટે છેલ્લા બે વર્ષમાં ૫ જિલ્લાઓમાં કુલ ૪૮.૯૩ કરોડ કરતા વધુનો ખર્ચ કરાયો: ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

Gujarat Desk

ગાંધીનગરના જૂના સચિવાલયનાં બ્લોક નંબર 7 માં આગનો બનાવ; સદનસીબે કોઈ જાનહાનિ નહીં

Gujarat Desk

૧૦૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સ, ૫૦થી વધારે ઉદ્યોગ નિષ્ણાતો, ૪૨ સ્ટાર્ટઅપ્સ સ્ટોલ્સ,સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા ૪૫૦૦ જેટલા લોકો થયા સહભાગી

Gujarat Desk

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પ્રધાનમંત્રી મન કી બાત કાર્યક્રમ નું આયોજન કરાયું

Karnavati 24 News
Translate »