Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

બાંધકામ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોના બાળકોનેકન્સ્ટ્રકશનની તાલીમ વિનામૂલ્યે લેવા અનુરોધ

બાંધકામ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોના બાળકોનેકન્સ્ટ્રકશનની તાલીમ વિનામૂલ્યે લેવા અનુરોધ

દાહોદ રહેતા બાંધકામ શ્રમિકના બાળકો માટે વિનામૂલ્યે તાલીમ થનાર છે. આ તાલીમ માં જોડાવવા માંગતા ઉમેદવારોની ઉંમર ૧૮ થી ૩૫ વર્ષ હોવી જોઈએ, અભ્યાસ ધોરણ-૬ પાસ થી ધોરણ- ૧૨ પાસ હોવા જોઈએ, શારીરિક રીતે તેમની ઉંચાઇ ૧૫૫ સે.મી. અને વજન ૪૫ કિલો હોવું જોઈએ. આ તાલીમમાં પાલક/સ્ક્રેફોલડીંગ-(૧ માસની તાલીમ), શટરીંગ-ફ્રોમ વર્ક-(ર માસની તાલીમ),સેન્ટીંગ-(ર માસની તાલીમ), કડીયાકામ/ ચણતર- પ્લાસ્ટર- (ર માસની તાલીમ), આમ આ ચાર પ્રકારના કોર્ષની તાલીમ એલ એન્ડ ટી કન્સ્ટ્રકશન સ્કીલ ઇન્સ્ટીટયુટ ચાચાર્વાડી માતા બસ સ્ટોપ પાસે,બાવળા સરખેજ હાઇવે જી.અમદાવાદ ખાતે થનાર છે.
આ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનારને પ્રમાણપત્ર આપવામાં આવશે તથા માસિક ૬૫૦ રૂપિયા સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. તેમજ બુલેટ ટ્રેન પ્રોજેકટની કન્સ્ટ્રક્શન સાઈટ પર બે વર્ષની એપ્રેન્ટીસીપ યોજનામાં જોડાઈ શકશે. અમદાવાદ ખાતે ૧ થી ૨ માસની તાલીમમાં તાલીમાર્થી ને રહેવા અને જમવાની તમામ સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. આ તાલીમમાં જોડાવવા માટે રોજગાર કચેરી ગોધરાના ફેસબુક પેજ jilla rojgar kacheri Dahod પર સંપર્ક કરવો તથા રોજગાર કચેરીની હેલ્પલાઇન ૦૨૬૭૩-૨૩૯૧૫૯ તથા રોજગાર સેતુ હેલ્પલાઇન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા રોજગાર અધિકારી દાહોદ દ્રારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

संबंधित पोस्ट

તળાજા તાલુકા કક્ષાનો જિલ્લા પંચાયતનો લોક સંવાદ સેતુ કાર્યક્રમ યોજાશે

Karnavati 24 News

“સોમનાથ મંદિર ને Eat Right Place of Worship થી સર્ટિફાય કરવામાં આવ્યું” 

Gujarat Desk

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ હોસ્ટેલ ના છઠ્ઠા માળેથી પડતું મૂકીને આપધાત કયૉ.

Karnavati 24 News

અમદાવાદમાં કોંગ્રેસની સંકલ્પ પરીવર્તન પદયાત્રામાં ઓછી હાજરી વચ્ચે ફિક્કો પ્રતિસાદ, કોંગ્રેસના કેટલાક હોદ્દેદારો જ ગાયબ

Karnavati 24 News

જામનગર પોલીસ દ્વારા શહેર, જિલ્લાના અસામાજિક તત્ત્વોની ઓળખ કરી તમામ શખ્સોના ગુનાહિત ઈતિહાસની માહિતી એકત્ર કરવામાં આવી

Gujarat Desk

અમદાવાદ સિવિલમાં 4 વર્ષમાં કેન્સરના 1 લાખથી વધુ કેસ નોંધાયા, સૌથી વધુ મોઢાના કેસ પુરુષોમાં નોંધાયા

Gujarat Desk
Translate »