કોંગ્રેસ દ્વારા સંકલ્પ પરીવર્તન પદયાત્રાનું આયોજન કરાયું છે. ત્યારે પાંખી હાજરી વચ્ચે આ યાત્રાની શરુઆત થઈ હતી. કેમ કે, કોંગ્રેસના કેટલાક હોદ્દેદારો જ વહેલા જોવા નહોતા મળ્યા.
અમદાવાદમાં આ સંકલ્પ યાત્રાની શરૂઆત નારણપુરા વિસ્તારથી થઈ હતી જ્યાં શાસ્ત્રીનગરથી જ નબળો પ્રારંભ જોવા મળ્યો હતો. વોર્ડ સમિતિના કેટલાક હોદ્દેદારો આ પદયાત્રામાં સમયસર ત્યાં દેખાયા નહોતા. પાંખી હાજરી અમદાવાદમાં આ પરીવર્તન સંકલ્પ યાત્રા નિકળી હતી.
વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં તો જોવા મળી છે પરંતુ આજે અમદાવાદમાં ઓછી હાજરી આ કાર્યક્રમમાં જોવા મળી હતી. એક પછી એક ચૂંટણીલક્ષી તૈયારીઓ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા પદયાત્રા પણ યોજવામાં આવી છે.
રાહુલ ગાંઘીનો ગુજરાત પ્રવાસ આગામી દિવસોમા યોજાઈ રહ્યો છે ત્યારે આ પહેલા જ કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. કોંગ્રેસ દ્વારા આવતી કાલે પણ વિવિધ વિધાનસભામાં આ પદાયાત્રા યોજવામાં આવશે. 33માંથી 16 વિધાનસભામાં પદયાત્રાનું આયોજન અત્યાર પુરતુ કોંગ્રેસે કર્યું છે. આ બે દિવસમાં 16 વિધાનસભામાં બેઠકમાં 5 થી 7 કિમી તમામ વિધાનસભામાં કાર્યકરો ચાલશે.