Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

અમદાવાદમાં કોંગ્રેસની સંકલ્પ પરીવર્તન પદયાત્રામાં ઓછી હાજરી વચ્ચે ફિક્કો પ્રતિસાદ, કોંગ્રેસના કેટલાક હોદ્દેદારો જ ગાયબ

કોંગ્રેસ દ્વારા સંકલ્પ પરીવર્તન પદયાત્રાનું આયોજન કરાયું છે. ત્યારે પાંખી હાજરી વચ્ચે આ યાત્રાની શરુઆત થઈ હતી. કેમ કે, કોંગ્રેસના કેટલાક હોદ્દેદારો જ વહેલા જોવા નહોતા મળ્યા.

અમદાવાદમાં આ સંકલ્પ યાત્રાની શરૂઆત નારણપુરા વિસ્તારથી થઈ હતી જ્યાં શાસ્ત્રીનગરથી જ નબળો પ્રારંભ જોવા મળ્યો હતો. વોર્ડ સમિતિના કેટલાક હોદ્દેદારો આ પદયાત્રામાં સમયસર ત્યાં દેખાયા નહોતા. પાંખી હાજરી અમદાવાદમાં આ પરીવર્તન સંકલ્પ યાત્રા નિકળી હતી.

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં તો જોવા મળી છે પરંતુ આજે અમદાવાદમાં ઓછી હાજરી આ કાર્યક્રમમાં જોવા મળી હતી. એક પછી એક ચૂંટણીલક્ષી તૈયારીઓ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા પદયાત્રા પણ યોજવામાં આવી છે.

રાહુલ ગાંઘીનો ગુજરાત પ્રવાસ આગામી દિવસોમા યોજાઈ રહ્યો છે ત્યારે આ પહેલા જ કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. કોંગ્રેસ દ્વારા આવતી કાલે પણ વિવિધ વિધાનસભામાં આ પદાયાત્રા યોજવામાં આવશે. 33માંથી 16 વિધાનસભામાં પદયાત્રાનું આયોજન અત્યાર પુરતુ કોંગ્રેસે કર્યું છે. આ બે દિવસમાં 16 વિધાનસભામાં બેઠકમાં 5 થી 7 કિમી તમામ વિધાનસભામાં કાર્યકરો ચાલશે.

संबंधित पोस्ट

 લોચન સહેરા અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા, 7 IAS અધિકારીની બદલી

Karnavati 24 News

મહારાષ્ટ્રમાં ભયાનક માર્ગ અકસ્માતઃ લાકડા ભરેલી ટ્રક અને પેટ્રોલ ટેન્કર વચ્ચે અથડામણ બાદ લાગી આગ

Karnavati 24 News

નર્મદા ડેમ સિવાય ગુજરાતના આ ડેમો પણ ભયજન સપાટી પર, નીચાણવાળા વિસ્તારો એલર્ટ મોડ પર

Karnavati 24 News

કૃષિ મંત્રીનું કોંગ્રેસ પ્રત્યે મોટુ નિવેદન: આવતી ચૂંટણીમાં ગુજરાતમાંથી કોંગ્રેસ નામશેષ થઇ જશે

Karnavati 24 News

દીવ જિલ્લા કલેકટર સલોની રાયનો વિદાયમાન, નવા કલેકટરને આવકારમાં આવ્યા

Karnavati 24 News

એચએનજીયુ યુનિવર્સિટી અમેરિકાની મિયામી યુનિવર્સિટી સાથે એમઓયુ કરશે, પોલ્યુશન, એગ્રીકલ્ચર, રિસર્ચ અંગે કરાર કરાશે

Karnavati 24 News