Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સુરત સોનામાં ડ્યુટી બચાવવા સ્મગલિંગનો ખેલ પડ્યો ઊંધો,DRI વિંગે રેડ કરીને ૮ કરોડનું સોનુ પકડી પાડ્યું.!

લાંબા સમય બાદ ડીઆરઆઈ વિંગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ૮ કરોડનું સોનુ પકડવામાં આવ્યું છે. પહેલીવાર ડીઆરઆઇના સ્ટાફે ગ્રાહકના સ્વાંગમાં આવીને રેડ પાડી છે. આને આટલી મોટી કાર્યવાહી કરી છે. મળતી માહિતી પ્રમાણે શહેરના લંબે હનુમાન રોડ પર આવેલા એક જવેલર્સ અને મહિધરપુરાના એક બુલિયનને ત્યાં રેડ પાડવામાં આવી છે. જેમાં ૧૦ કરોડનું ૧૮ કિલો સોનુ પકડવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં ૧૬૫ નંગ સોનાના બિસ્કિટ જપ્ત કરવામાં આવ્યા છે.

ડીઆરઆઈને મળેલી માહિતીના આધારે સ્મગલિંગનો માલ લઈને એક વ્યક્તિ દુકાનમાં આવનાર હતો. જેને ધ્યાનમાં રાખીને ડીઆરઆઇના અધિકારીઓ પહેલાથી જ શોરૂમમાં ગ્રાહક બનીને બેઠા હતા. જવેલર્સ દ્વારા અગાઉ પણ સ્મગલિંગનો માલ મંગાવ્યો હોવાની ડીઆરઆઈને સંભાવના લાગી રહી છે.

આ માલ એરપોર્ટ મારફતે લાવવામાં આવ્યો હોવાની શંકાને આધારે હવે એરપોર્ટ પર પણ વોચ ગોઠવી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ૭.૫૦ ટકા ડ્યુટી બચાવવા માટે સ્મગલિંગનો આખો ખેલ કરવામાં આવી રહ્યો હતો. જે સોનુ જપ્ત કરાયું હતું તે સોનામાં અઢી કિલો સોનુ મહિધરપુરાના બુલિયનનું હોવાની માહિતી સામે આવી રહ્યું છે. જયારે બાકી રહેલું સોનુ લંબે હનુમાન રોડ પરના જવેલર્સનું છે. અંદાજે ૧૦૦ કરોડનું સોનુ સુરતમાં આ જ પ્રમાણે લાવવામાં આવ્યું હોવાની શંકા ડીઆરઆઈને છે. જેથી હવે અધિકારીઓ વધુ એલર્ટ થઇ ગયા છે. અને સમગ્ર ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે. આ સોનુ લાવનાર અન્ય બે વ્યક્તિઓની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે. જયારે સોના પર ૭.૫૦ ટકા ડ્યુટી બચાવવા માટે દાણચોરી કરનાર શખ્સો સામે પણ લાલ આંખ કરી છે.

संबंधित पोस्ट

સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય મંત્રી અને સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાએ રજૂ કરેલ નવા બજેટ અંગે પોતાની પ્રતિક્રિયા આપી

Karnavati 24 News

જામનગર રાજ્યમાં ભરતી પરીક્ષાના પેપર કૌભાંડ ઉજાગર કરનાર યુવરાજસિંહ જાડેજા ઉપર પોલીસે ગંભીર કલમો મુજબ ગુન્હો નોંધ્યો છે. તેને દૂર કરવાની માંગ સાથે જામનગરમાં રાજપૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્

Karnavati 24 News

ટ્રક નીચે પડતું મુકી રાજકોટના યુવાને કરી આત્મહત્યા: ઘટનાની ફૂટેજ વાયરલ

Karnavati 24 News

 3 જાન્યુઆરીથી 3 પ્રકારની વ્યવસ્થા:ગુજરાતમાં 26 લાખ કિશોરોને રસી અપાશે, સ્કૂલોમાં કેમ્પ થશે; કોવેક્સિનના 15 લાખ ડોઝ ઉપલબ્ધ

Karnavati 24 News

ગોંડલથી રાજકોટ આવતું હોકી ગુણવત્તા વાળું દૂધ પકડી પાડતી મનપાની ફૂડ શાખા: ૫૦૦ લીટર દૂધનો કરાયો નાશ

Admin

અષાઢી બિજે મેઘરાજાએ શકુન સાચવ્યા સમગ્ર નાઘેર પંથકમાં દોંઢ ઇંચ વરસાદ વર્ષાવી ખેડૂતો ને ખુશ કર્યા

Karnavati 24 News