Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સુરત સોનામાં ડ્યુટી બચાવવા સ્મગલિંગનો ખેલ પડ્યો ઊંધો,DRI વિંગે રેડ કરીને ૮ કરોડનું સોનુ પકડી પાડ્યું.!

લાંબા સમય બાદ ડીઆરઆઈ વિંગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ૮ કરોડનું સોનુ પકડવામાં આવ્યું છે. પહેલીવાર ડીઆરઆઇના સ્ટાફે ગ્રાહકના સ્વાંગમાં આવીને રેડ પાડી છે. આને આટલી મોટી કાર્યવાહી કરી છે. મળતી માહિતી પ્રમાણે શહેરના લંબે હનુમાન રોડ પર આવેલા એક જવેલર્સ અને મહિધરપુરાના એક બુલિયનને ત્યાં રેડ પાડવામાં આવી છે. જેમાં ૧૦ કરોડનું ૧૮ કિલો સોનુ પકડવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં ૧૬૫ નંગ સોનાના બિસ્કિટ જપ્ત કરવામાં આવ્યા છે.

ડીઆરઆઈને મળેલી માહિતીના આધારે સ્મગલિંગનો માલ લઈને એક વ્યક્તિ દુકાનમાં આવનાર હતો. જેને ધ્યાનમાં રાખીને ડીઆરઆઇના અધિકારીઓ પહેલાથી જ શોરૂમમાં ગ્રાહક બનીને બેઠા હતા. જવેલર્સ દ્વારા અગાઉ પણ સ્મગલિંગનો માલ મંગાવ્યો હોવાની ડીઆરઆઈને સંભાવના લાગી રહી છે.

આ માલ એરપોર્ટ મારફતે લાવવામાં આવ્યો હોવાની શંકાને આધારે હવે એરપોર્ટ પર પણ વોચ ગોઠવી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ૭.૫૦ ટકા ડ્યુટી બચાવવા માટે સ્મગલિંગનો આખો ખેલ કરવામાં આવી રહ્યો હતો. જે સોનુ જપ્ત કરાયું હતું તે સોનામાં અઢી કિલો સોનુ મહિધરપુરાના બુલિયનનું હોવાની માહિતી સામે આવી રહ્યું છે. જયારે બાકી રહેલું સોનુ લંબે હનુમાન રોડ પરના જવેલર્સનું છે. અંદાજે ૧૦૦ કરોડનું સોનુ સુરતમાં આ જ પ્રમાણે લાવવામાં આવ્યું હોવાની શંકા ડીઆરઆઈને છે. જેથી હવે અધિકારીઓ વધુ એલર્ટ થઇ ગયા છે. અને સમગ્ર ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે. આ સોનુ લાવનાર અન્ય બે વ્યક્તિઓની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે. જયારે સોના પર ૭.૫૦ ટકા ડ્યુટી બચાવવા માટે દાણચોરી કરનાર શખ્સો સામે પણ લાલ આંખ કરી છે.

संबंधित पोस्ट

અંકલેશ્વર નગર પાલિકા ખાતે ત્રિમાસિક સામાન્ય સભામાં સર્વાનુમતે ૩૪ કામો સર્વાનુમતે મંજુર કરાયા હતા.

Admin

વેરાવળ પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારોટે દિનદયાળ ઉપાધ્યાયની પૃણ્યતિથિ પર વંદન કર્યા

Karnavati 24 News

સુરત ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ, આજે હત્યારો ફેનિલ દંડાશે,કોર્ટ સંભળાવશે ચુકાદો,પરિવારે આરોપીની કડક સજાની કરી છે માંગ.!

Karnavati 24 News

ગુજરાતમાં આઇ.પી.એસ. અધિકારીઓની મંજૂર થયેલી ૨૦૮ જગ્યાઓ પૈકી ૧૯૮ જગ્યાઓ ભરાયેલી છે: ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

Gujarat Desk

નવી દિલ્હીમાં યોજાનારા રાષ્ટ્રીય યુવા મહોત્સવ –  વિકસિત ભારત યુવા નેતૃત્વ સંવાદમાં  ભાગ લેવા માટે ગુજરાતના 45 યુવાનો પસંદગી પામ્યા : રાજ્યપાલશ્રીએ અભિનંદન-શુભકામનાઓ પાઠવ્યા

Gujarat Desk

 ગુજરાતમાં 27 ડિસેમ્બરે માવઠાની આગાહી, ઘઉં-રાયડા જેવા પાકોમાં નુકશાનની ભીતિ

Karnavati 24 News
Translate »