અંકલેશ્વર નગર પાલિકા ખાતે ત્રિમાસિક સામાન્ય સભામાં સર્વાનુમતે ૩૪ કામો સર્વાનુમતે મંજુર કરાયા હતા.
અંકલેશ્વર નગર પાલિકાનાના સભાખંડ ખાતે આજરોજ ત્રિમાસિક સામાન્ય સભા મળી હતી. જેમાં સામાન્ય સભામાં ૩૪ કામો મુકવામાં આવ્યા હતા જે પૈકી વિપક્ષી સભ્યો ના વિરોધ વચ્ચે સર્વાનુમતે તમામ કામો મંજુર કરવામાં આવ્યા હતા.
આ સામાન્ય સભામાં મુકવામાં આવેલ કામો જેવા કે નવ નિર્મિત મ્યુનિસિપલ હોસ્પિટલમાં માળખાકિય સુવિધાઓ, આરોગ્ય સાધનો સહિત ઇલેક્ટ્રીક વિભાગના વાર્ષિક કોન્ટ્રાકટ ઉપરાંત ફિલ્ટ્રેશન પોન્ડમાં સાફસફાઈનો ઈજારો સહિતના કામો ને મંજૂરી આપવામાં આવી હતી.
વિપક્ષે શાશક પક્ષ નો વિરોધ કરતા એવા આક્ષેપો કર્યા હતા કે કામ થઈ જાય બાદમાં કામની મંજૂરી માટેનો ઠરાવ બોર્ડ મિટિંગ માં બહાલી માટે મૂકવામાં આવે છે અને મનસ્વી રીતે બિલો મુકાય છે.વધુમાં વિપક્ષી નેતા જહાંગીર ખાન પઠાણે સુકાવલી માં નર્યો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તેવી તીખી પ્રતિક્રિયા આપી સુકાવલી ના કચરાનું અડોલ હજાત રોડ ઉપર ઠાલવવામાં આવી રહ્યો છે જે જાહેર આરોગ્ય માટે ખતરા સમાન પુરવાર થઈ શકે છે.