સુરત માં બોગસ દસ્તાવેજ અને બોગસ પુરાવા ઉભા કરી મિલકત સાથે છેડા થાય ની અનેક ઘટના બહાર આવે છે એવા માં તેવી જ એક ઘટના ફરી સામે આવી છે..આ ઘટના કતારગામ વિસ્તાર ની છે..કે જ્યાં બોગસ કબ્જા રસીદ બનાવી મિલકત વહેંચી મારવામાં આવી છે..સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ કંતારેશ્વર મહાદેવ મંદિર ની સામે પાર્વતી નગર સોસાયટી માં રહેતા રમાં બેન માધાણી અને તેમના પરિવાર ની માલિકી ની જગ્યા કતારગામ વિસ્તાર ની અંકુર વિદ્યાલય ની સામે આવેલી છે ..આ મિલકત માં ઈશ્વર ભાઈ ડાભી અને તેનો પુત્ર હસમુખે કબજો કરી ત્યાં વેપાર શરૂ કઈ દીધો હતો…જ્યારે રમાં બેને ઈશ્વર ભાઈ ને કબજો ખાલી કરવાનું કહેતા તેમને જણાવ્યું હતું કે આ જગ્યા 2001 માં મૂળ માલિક પાસે થિ ખરીદી કરી છે ..અને આ માટે તેમને પાવર ઓફ એટર્ની પ્રવીણ ખીમજી ગોહિલે લખી આપી કબ્જા રસીદ રજૂ કરી હતી..જોકે આ જગ્યા ને મૂળ માલિક પરસોતમ ભાઈ પટેલ 2000 માં ગુજરી ગયા હતા..આથી પ્રવીણ ગોહિલે બોગસ કબ્જા રસીદ ઉભી કરી મિલકત વહેંચી મારી હોવાનું સામે આવ્યુ હતું..આ ઘટના માં પોલીસ ફરિયાદ થતા કતારગામ પોલીસે બોગસ કબ્જા રસીદ ઉભી કરનાર પ્રવીણ ભાઈ ગોહિલ ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..