Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનોસ્થાનિક સમાચાર

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર માંથી લાખો ની કિંમત નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

આવતી કાલે સમગ્ર રાજ્યમાં ગ્રામપંચાયત ની ચૂંટણીઓ યોજાવવા જઈ રહી છે તે પૂર્વે જ અંકલેશ્વર માંથી સ્ટેટ વિજિલન્સ ની ટિમ દ્વારા લાખો ની કિંમત માં ભારતીય બનાવટ ના વિદેશી દારૂના જથ્થો ભરી લાવેલ કન્ટેનર સાથે બે જેટલા ઇસમોની ધરપકડ કરવામાં આવતા નશાનો વેપલો કરતા તત્વો માં ખળભળાટ મચી જવા પામ્યો છે,

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એશિયન પેઇન્ટ ચોકડી પાસેના રસ્તા ની બાજુમાં કન્ટેન્ટર માં ભરી લાવી રાત્રીના અંધારા નો લાભ લઇ બુટલેગરો દ્વારા વિદેશી શરાબ નું કટિંગ થતું હોવાની બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સ ના કર્મીઓએ દોડી જઈ ઘટના સ્થળેથી ભારતીય બનાવટ ના વિદેશી દારૂનો જથ્થો નાની કુલ ૧૫૭૨૦ ટીન તેમજ મોટી કાંચ ની બોટલો સહિતનો મુદ્દામાલ મળી કુલ ૩૨ લાખ ૮૮ હજાર ૧૩૦ ના મુદ્દામાલને ઝડપી પાડ્યો પાડ્યો હતો,

ગોવા થી કન્ટેન્ટર નંબર HR-45-C 8419 માં અંકલેશ્વર ખાતે ભારતીય બનાવટ ના વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે મૂળ રાજેસ્થાન ના ઝુનઝૂન જિલ્લાના વતની રાકેશ ભોલારામ જાટ તેમજ રાજેન્દ્ર બીરબલ જાટ નામના ઈસમો ગોવાથી નાસતા ફરતા વિક્રમ સિંગ પાસેથી આ જથ્થો ભરી લાવી અંકલેશ્વર ખાતે કટિંગ કરતા હતા તે દરમિયાન પોલીસે દરોડા પાડી સમગ્ર મુદ્દામાલ ને કબ્જે કર્યો હતો,હાલ ના પોલીસે ગુનો નોંધી અંકલેશ્વર માં દારૂ મંગાવનાર ઇસમોની પણ ધરપકડ ના ચક્રોગતિમાન કર્યા છે,

મહત્વની બાબત છે કે આવતી કાલે રાજ્ય માં અને ખાસ કરી ભરૂચ જિલ્લામાં પણ ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજાવવા જઈ રહી છે તે પૂર્વે આટલી મોટી માત્ર માં શરાબ નો જથ્થો તે પણ સ્ટેટ વિજિલન્સ ના હાથે ઝડપાતા સ્થાનિક પોલીસ ની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે તેમજ મામલા બાદ નશાનો વેપલો કરતા તત્વોમાં પણ ચકચાર મચ્યો છે,

संबंधित पोस्ट

હળવદ તાલુકામાં તસ્કરોનું નાઈટ પેટ્રોલિંગ, મંદિરને નિશાન બનાવી ચોરી કરી

Karnavati 24 News

ધનસુરા પોલીસે ફોર્ચ્યુનરમાંથી 4.27 લાખનો શરાબ ઝડપ્યો, પોલિસને ચકમો આપી બુટલેગર ફરાર

Admin

જૂનાગઢના વિશાળ હડમતીયાના પાટીયા પાસે ઢોળવા ગામના યુવાનને હનીટ્રેપ માં ફસાવી અપહરણ કરી માંગી ૧.૨૦ લાખની ખંડણી

Karnavati 24 News

રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ પીવાના પાણીની ઘટ ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થાપન કરવા માટે કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ પાણી સમિતિની બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના પ્રાંત અધિકારીશ

Karnavati 24 News

 દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-૧૯ ને લઇને એક પત્રકાર પરિષદ

Karnavati 24 News

રાજુલા પોલીસ સ્ટેશનમાં પડી રહેલા ૬૦ બિનવારસી વાહનોની આગામી તા.૦૬ સપ્ટેમ્બરના રોજ જાહેર હરાજી થશે

Karnavati 24 News