ભાજપમાં આજે બે નેતાઓ ફરી સામેલ થવા જઈ રહ્યા છે ભાજપમાં સામેલ એક સમયે અને સસ્પેન્ડ કરેલા નેતાઓ જ ફરી પ્રવેશ કરશે. પૂર્વ ધારાસભ્ય કમા રાઠોડ અને પૂર્વ નપા પ્રમુખ ભીખાભાઇ પટેલ આજે ભાજપમાં પ્રવેશ કરશે. ખાસ કરીને ફરી એકવાર તેમના સમર્થકો સાથે કમલમ ખાતે પહોંચ્યા હતા.
2017 ની અંદર ભાજપ સાથે છેડો ફાડ્યો હતો, ટિકિટ ન મળતા નારાજ થઈ છેડો ફાડ્યો હતો. જેના કારણે તેઓ પક્ષપલટો કરી અપક્ષમાં ચૂંટણી લડી હતા તેમની હાર થઇ હતી અને તેમને ત્યાર બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કમાભાઈ રાઠોડ સતત ભાજપ સાથે જોડાવવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે આગામી સમયમાં 182 નું લક્ષ્ય છે ત્યારે કમાભાઈ રાઠોડ દ્વારા સતત પ્રયાસો બાદ તેમને આ સ્થાન આજે કમલમ ખાતે સમર્થકો સાથે મળશે.
ભાજપની અંદર જોડાવો ને લઈને તેઓ શક્તિ પ્રદર્શન અને રેલી કરી ભાજપમાં કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે અને તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે એક બાદ એક એમ આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ સહિતના નેતાઓ ભાજપમાં જોડાઇ ચૂક્યા છે ત્યારે ભાજપની અંદર જ પાર્ટીને છોડી ચૂકેલા નેતાઓની ફરીથી પુન વાપસી થઈ છે.