Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ગુજરાત રાજકીય ક્ષેત્રે રાજ્ય દાન મેળવવા ત્રીજા ક્રમાંકે, જાણો ભાજપ-કોંગ્રેસને કેટલું મળ્યું દાન

રાજકીય ક્ષેત્રે પાર્ટીઓને દાન મળતું હોય છે. ત્યારે ગુજરાતનો તેમાં 2020-21માં ત્રીજો ક્રમાંક રહ્યો છે. ગુજરાતમાં રાજકીય પક્ષોને 47 કરોડ દાન પેટે મળ્યા છે. ત્યારે કઈ પાર્ટીને કેટલું દાન મળ્યું છે તેની વિગતો તપાસવા જઈએ તો એસોસિએસન ફોર ડેમોક્રેટીક રિફોર્મના રીપોર્ટ અનુસાર ભાજપને સૌથી વધુ 46 કરોડનું રાજકીય દાન મળ્યું છે જયારે કોંગ્રેસને 1 કરોડથી પણ ઓછું દાન મળ્યું હોવાનું રીપોર્ટમાં જણાવાયું છે. કોંગ્રેસને 92.50 કરોડનું રાજકીય દાન મળ્યું છે. એનસીપી પક્ષની વાત કરીએ તો 10.95 લાખનું દાન મળ્યું છે. આ દાનમાં સૌથી વધુ દાન બિઝનેસ કોર્પોરેટ હાઉસમાંથી મળી રહ્યું છે. જો કે, કોરોનાના કારણે ગત વર્ષની સરખામણીએ જે દાન મળ્યું હતું તેમાં ઘટાડો થયો છે. ભાજપ, કોંગ્રેસ સહીતની પાર્ટીઓને આ દાન ગત વર્ષની સરખામણીએ ઓછું મળ્યું છે.
ગુજરાત ત્રીજા ક્રમે તો દિલ્હી દાન મેળવવાની બાબતમાં પ્રથમ ક્રમે રહ્યું છે. દિલ્હીમાં આ સમયગાળામાં રાજકીય પક્ષોને 246 કરોડનું દાન મળ્યું છે જ્યારે બીજા ક્રમે મહારાષ્ટ્ર રહ્યું છે. મહારાષ્ટ્ર રાજ્યની પાર્ટીઓને 71 કરોડ અને ગુજરાત રાજ્યની રાજકીય પાર્ટીને 50 કરોડથી ઓછું દાન મળ્યું છે. ગુજરાતમાં જે કંઈ પણ રકમ આવી છે તેમાંથી 39 કરોડ જેટલી રકમ કોર્પોરેટ હાઉસ અને બિઝનેસમેનોને મળી છે. બિઝનેસમેન સિવાય વ્યક્તિગત રીતે જોવા જઈએ તો 7 કરોડ દાનપેટે મળ્યા છે.
ગત વર્ષની સરખામણીએ મળતા દાનની વાત કરવામાં આવે તો ભાજપને દેશમાંથી 2019-20માં 785.77 કરોડ દાન મળ્યું હતું. જ્યારે તેના પછીના વર્ષ 2020-21ની વાત કરીએ તો 477.54 કરોડ મળ્યા છે. જેમાં આ તફાવત ગત વર્ષ કરતા જોવા મળ્યા છે. આજ પ્રમાણે કોંગ્રેસને 139 કરોડનું દાન 2019-20માં મળ્યું હતું જેમાં ઘટાડો થતા 2020-21માં 74 કરોડ દાન પ્રાપ્ત થયું હતું. જેથી આ તફાવત ઓછા દાનનો કોંગ્રેસને પણ નડ્યો છે.

संबंधित पोस्ट

વિશ્વાસ પ્રોજેક્ટની મદદથી અત્યાર સુધીમાં 3,400થી વધુ ગુનાખોરીના કેસ સરળતાથી ઉકેલાયા – સી.એમ.

Karnavati 24 News

સહકારી આગેવાન દિલીપ સંઘાણી ને લઈને સોશ્યલ મીડિયામાં વિવાદક સ્પદ નિવેદન ને લઈને દિલીપ સંઘાણી ની વાહરે આવ્યા ભારતીય જનતા પાર્ટી ને આગેવાનો અને કાર્યકર્તાઓ

Karnavati 24 News

ગાયક કલાકાર અને ભાજપ નેતા વિજય સુવાડાએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી, બાયડમાં નવરાત્રી મહોત્સની મુલાકાત દરમિયાન નિવેદન

‘દેશના હિતમાં સ્થગિત કરી દો ભારત જોડો યાત્રા’: કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર

Admin

RK studio lights up ahead of Ranbir Kapoor, Alia Bhatt’s weddingWatch

બે તાલુકાની 71 પ્રાથમિક શાળાના 320 જોખમી ઓરડા તોડીને નવા બનાવાશે

Translate »