Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડના વિરોધમાં જૂનાગઢમાં રેલી યોજી આપવામાં આવ્યું આવેદનપત્ર

અનેક સરકારી ભરતી કૌભાંડનો પર્દાફાશ કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહની ધરપકડ કરીને 307 કલમ મુજબ જેલ હવાલે કર્યા હતા જેથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ છવાઈ ગયો છે આજે જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગો પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી કરણી સેના રાજપૂત સેવા સમાજ સહિતના લોકોએ વિદ્યાર્થી નેતા ને ન્યાય અપાવવા અને તેની સામે થયેલી ખોટી ફરિયાદ પાછી ખેંચી લેવા રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં યુવરાજસિંહને છોડાવવા સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવ્યો હતો વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ થોડા સમય પહેલા પેપર લીક કાંડ નો પર્દાફાસ કર્યો હતો જેનો ખાર રાખી સરકારે તેના પર ખોટા કેસ દાખલ કર્યા છે જેને લઇ આજે જૂનાગઢના વિદ્યાર્થીઓમાં ભારોભાર રોષ હતો અને તેઓની માંગ છે કે તાત્કાલિક યુવરાજ સિંહને છોડવામાં આવે અને સરકાર તેના ઉપર ખાર રાખી રહી હોય તેવો પણ કરણી સેના ના લોકો તથા રેલીમાં જોડાનાર એ લોકોએ આક્ષેપ કર્યા હતા અને આ અંગે તાત્કાલિક યુવરાજસિંહની જેલ મુક્તિ થાય તેવી પણ માંગ ઉઠી હતી

संबंधित पोस्ट

વેળાવદર ખાતે આવેલ જગવિખ્યાત કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન તા. ૧૫ ઓક્ટોબરથી મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે

Admin

જહાંગીરપુરી હિંસા : પોલીસે એક જ પરિવારના 5 સભ્યો સહિત કુલ 23 લોકોની ધરપકડ કરી

Karnavati 24 News

રાજુલા માં ગાયમાતા નાં લાભાર્થે યોજાયેલ લોક ડાયરામાં આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તથા કોંગ્રેસ પરિવાર દ્વારા રૂ. ૧૧૧૧૧૧/- રોકડ અનુદાન આપવામાં આવ્યું હતું…

Admin

ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂની શહાદતને નમન કરવાના પુણ્યદિવસની ઉજવણી કરવામાં આવશે, બીજેપીના નેતાઓ જોડાશે

Karnavati 24 News

હવામાનમાં પલટો, તડકાના કારણે તાપમાનમાં વધારો : તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો, સવારથી સૂર્યપ્રકાશને કારણે ગરમી અને ભેજનું પ્રમાણ વધ્યું

Karnavati 24 News

ભરૂચ:ઝંગાર ગામ નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો

Karnavati 24 News
Translate »