Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

ભરૂચ:ઝંગાર ગામ નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો

ભરૂચ:ને.હા ૪૮ ઝંગાર ગામ ના પાટિયા પાસે ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત,સદનસીબે કોઈ જાનહાની નહિ..!!

ભરુચ જિલ્લાના હાઇવે વિસ્તારમાં અકસ્માત ની ઘટનાઓમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે,વડોદરા સુરત વચ્ચેનો હાઇવે નો વિસ્તાર જાણે કે અકસ્માત જોન બનતો જઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે,હાઇવે પર દિન પ્રતિદિન સર્જાતા અકસ્માત ની ઘટનાઓમાં વધારો થયો છેઃ ત્યારે વધુ એક અકસ્માત ઝંગાર નજીક થી સામે આવ્યો હતો, બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરુચ તાલુકાના ઝંગાર ગામ ના પાટીયા પાસે ગત રાત્રીના સમયે ડમ્પર અને ટ્રક વચ્ચે એક અકસ્માત ની ઘટના બનતા એક સમયે લોકોમાં દોડધામ મચી હતી,અકસ્માત ના પગલે લોક ટોળા ભેગા થઈ જતા હાઇવે ઉપર ટ્રાફિક જામ જેવા દ્રશ્યો સર્જાયા હતા,

અકસ્માત ની ઘટનામાં ટ્રક ચાલક કબીન ના ભાગે ફસાઇ જતા મહામહેનતે ઉપસ્થિત લોકોએ તેનું રેસ્કયુ કરી તેને બાહર કાઢ્યો હતો,ઘટના અંગેની જાણ ભરૂચ ૧૦૮ એમ્બ્યુલન્સ માં કરાતા ઈજાગ્રસ્ત ચાલક ને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો,ઘટના ના પગલે હાઇવે ઉપર જામ ની સ્થિતિ થતા સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી અકસ્માત સર્જાયેલ વાહનો ને રસ્તા પરથી ખસેડી ટ્રાફિક ને ખૂલ્લો કરાવ્યો હતો

संबंधित पोस्ट

રાજસ્થાનની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ખાલી જગ્યા: 10 જૂન સુધીમાં ઓનલાઇન અરજી કરો, 56,000 સુધીનો પગાર મળશે

Karnavati 24 News

મોટી ટેક કંપનીઓ કર્મચારીઓને નોકરી પરથી કરી રહી છે છૂટા, જાણો શું છે કારણ

Admin

 સામાન્ય દિવસોમાં ભરચક રહેતા ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક વધ્યો ઉતરાયણ પર્વને અનુલક્ષી ટ્રાફિકનું ભારણ વધ્યું

Karnavati 24 News

ખોખરા પોલીસ સ્ટેશનના પ્રથમ P I કે.એસ. ચૌધરી સાહેબ નું દુઃખદ અવસાન.

Karnavati 24 News

પીએમ બનાસકાંઠામાં પાણીની સમસ્યાઓનું સમાધાન કરતા વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત કરશે, લોકો સભા સ્થળ પર પહોંચ્યા

Admin

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત ખાતેના પ્રવાસ કાર્યક્રમના આયોજન અર્થે બેઠક યોજાઈ.

Karnavati 24 News