Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

વેળાવદર ખાતે આવેલ જગવિખ્યાત કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન તા. ૧૫ ઓક્ટોબરથી મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે

વેળાવદર ખાતે આવેલ જગવિખ્યાત કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન તા. ૧૫ ઓક્ટોબરથી મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે વેળાવદર ખાતે આવેલ જગવિખ્યાત કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૨ થી મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે. મુલાકાતીઓ માટે રાષ્ટ્રીય ઉદ્યાન સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખુલ્લો રહેશે. કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન એ ભાલ વિસ્તાર, ભાવનગર જિલ્લાનું એક બહુમૂલ્ય નજરાણું છે. અહીંનું જૈવ વૈવિધ્ય લોકોના અભ્યાસ માટે એક આકર્ષણનું કેન્દ્ર છે. મૂક્ત રીતે વિહરતાં કાળીયારો ઉપરાંત વરૂ અને ખડમોર જેવાં વન્યજીવોની ભરતભરમાં સંખ્યા ઘટી રહી છે ત્યારે આ વિસ્તાર અને તેનું વન્યજીવન સં૨ક્ષણ અને લોકોના સહકારથી ખૂબ સારી રીતે સચવાયેલાં છે. ખાસ કરીને ઓકટોબ૨થી ફેબ્રુઆરી મહિના સુધી યાયાવર પક્ષીઓ માટે આ વિસ્તાર અભય સ્થાન છે. હેરીય૨ કુળના (પટ્ટાઈઓ) પક્ષીઓનું સામૂદાયિક રાત્રી રોકાણ આ રાષ્ટ્રીય ઉદ્યાનને સમગ્ર વિશ્વમાં નોંધ લેવા પ્રેરે છે. પ્રવાસીઓને રાત્રી રોકાણ માટે ઈકો-ટૂરિઝમ ડેવલપમેન્ટ કમિટિ, વેળાવદર હસ્તકની ડોરમેટરીમાં જ બુકીંગ ઉપલબ્ધ રહેશે.પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓને અગાઉથી બુકીંગ માટે મો. નં. ૬૩૫૩૨ ૧૫૧૫૧ ૫૨ સંપર્ક ક૨વાં મદદનીશ વન સંરક્ષકશ્રી, કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

संबंधित पोस्ट

કાઇટ ફાઉન્ડેશનના એવોર્ડ સમારોહમાં વડોદરાના શિક્ષકને ડાયનેમિક ટીચર ઇન ધ ફિલ્ડ ઓફ એકાઉન્ટિંગ કેટેગરીમાં એવોર્ડ મળ્યો

Karnavati 24 News

TCSમાં નોકરી કરવાની સારી તક, કઇ રીતે કરી શકશો અરજી, જાણો

Karnavati 24 News

આ 5 શેર 37% સુધીનું વળતર આપી શકે છે, જે થોડા સમય અગાઉ શેર બજારમાં લિસ્ટ થયાં છે

Karnavati 24 News

રાજકોટના ડેપ્યુટી મેયર ડૉ. દર્શીતાબેન શાહે મહિલાઓને શું કરી અપીલ ?

Admin

નંબર પ્લેટ વગરના, લખાણ વાડી નંબર પ્લેટ વિરુઘ્ધ રાજકોટ પોલીસની ડ્રાઇવ: ૯૧ કેસ કરી રૂ.૩૮૬૦૦નો દંડ વસૂલાયો

Karnavati 24 News

સિદ્ધુને પટિયાલા જેલમાંથી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો: રોગો જણાવવા અને વિશેષ આહાર માટે પૂછવું; ડોકટરો દ્વારા કરવામાં આવેલ પરીક્ષણો; કોર્ટમાં રિપોર્ટ કરશે

Karnavati 24 News
Translate »