Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

આ દૂધ પીવાથી એસિડિટીમાંથી તરત મળે છે રાહત, જાણો બીજા ઘરેલું ઉપાયો પણ

આજના આ સમયમાં અનેક લોકો એસિડિટીની સમસ્યાથી પરેશાન હોય છે. એસિડિટી માણસને ઉપડે ત્યારે બહુ જ હેરાન કરી નાંખે છે. જો કે ઘણાં લોકોને એસિડિટી વધારે પ્રમાણમાં થતી હોય છે. એસિડિટીથી પેટમાં અતિશય બળતરા થાય છે. આમ, જોવા જઇએ તો એસિડિટીની સમસ્યા ગરમીમાં વધુ પ્રમાણમાં થાય છે. જો તમે પણ એસિડિટીની સમસ્યાથી બહુ કંટાળી ગયા છો તો આ ઘરેલું ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે.

નારિયેળ

જેને બહુ એસિડિટી થતી હોય એના માટે નારિયેળ પાણી સૌથી બેસ્ટ છે. ગરમીમાં નારિયેળ પાણી પીવાથી એસિડિટીની સમસ્યા દૂર થાય છે. નારિયેળ પાણીમાં ડિટોક્સિફાય ગુણ હોય છે જે તમને રાહત અપાવવાનું કામ કરે છે. આ સાથે જ નારિયેળ પાણીમાં ફાઇબરની માત્રા વધુ હોય છે, જે પેટની સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે.

છાશ

છાશમાં અનેક ગુણો રહેલા છે. છાશ પીવાથી એસિડિટીની સમસ્યામાંથી રાહત મળે છે. જ્યારે તમને બહુ એસિડિટી ઉપડે ત્યારે તમે ઠંડી છાશ પીવો છો તો પેટમાં ઠંડક થાય છે જેના કારણે તમને મોટી રાહત મળી જાય છે.

કેળા

એસિડિટીમાંથી રાહત મેળવવા માટે તમે કેળા પણ ખાઇ શકો છો. કેળામાં રહેલા તત્વો તમારી એસિડિટીની સમસ્યાને દૂર કરે છે. કેળામાં રહેલું પોટેશિયમ પેટમાં વધારાની એસિડિટી બનતી અટકાવે છે, જે શરીરના પીએચ લેવલને ઘટાડે છે.

શક્કરટેટી

ઉનાળામાં દરેક લોકોએ ટેટી ખાવી જોઇએ. ટેટીમાં પાણીની માત્રા વધુ હોય છે જે તમારા શરીરમાં રહેલી પાણીની ઉણપને દૂર કરે છે. ટેટીમાં  એન્ટી ઓક્સિડન્ટસ અને ફાઇબર એસિડ હોય છે જે પેટ સંબંધિત રોગો મટાડે છે. ટેટી ખાવાથી પેટ ઠંડુ રહે છે જેના કારણે બળતરા થતી નથી.

ઠંડુ દૂધ

જ્યારે પણ તમને એસિડિટી થાય ત્યારે ઠંડુ દૂધ પી લો. ઠંડુ દૂધ પીવાથી એસિડિટી તરત બેસી જાય છે.

संबंधित पोस्ट

Health Care: મેથી અને કલોંજીના છે અઢળક ફાયદા, જરૂર વાંચો આ લાભ વિશે…..

Karnavati 24 News

આમળા નવમી 2022: આમળામાંથી બનાવેલ વાળનો માસ્ક ઘૂંટણ સુધીના વાળ બનાવી શકે છે, આ રીતે ઉપયોગ કરો

Admin

જાણો અપૂરતી ઊંઘને કારણે સ્વાસ્થ્ય પર કેવી અસરો જોવા મળે છે?

Karnavati 24 News

દેશમાં ફરી વધ્યા કોરોના વાયરસના કેસ, છેલ્લા 24 કલાકમાં આવ્યા 2797 કેસ

Omicron જોખમ વચ્ચે આ વસ્તુ લો, રોગપ્રતિકારક શક્તિમાં ભારે વધારો થશે

Karnavati 24 News

નવી મુંબઇની એક સ્કૂલના 16 વિદ્યાર્થી કોરોના સંક્રમિત, એકના પિતા કતારથી આવ્યા હતા

Karnavati 24 News