Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

આ દૂધ પીવાથી એસિડિટીમાંથી તરત મળે છે રાહત, જાણો બીજા ઘરેલું ઉપાયો પણ

આજના આ સમયમાં અનેક લોકો એસિડિટીની સમસ્યાથી પરેશાન હોય છે. એસિડિટી માણસને ઉપડે ત્યારે બહુ જ હેરાન કરી નાંખે છે. જો કે ઘણાં લોકોને એસિડિટી વધારે પ્રમાણમાં થતી હોય છે. એસિડિટીથી પેટમાં અતિશય બળતરા થાય છે. આમ, જોવા જઇએ તો એસિડિટીની સમસ્યા ગરમીમાં વધુ પ્રમાણમાં થાય છે. જો તમે પણ એસિડિટીની સમસ્યાથી બહુ કંટાળી ગયા છો તો આ ઘરેલું ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે.

નારિયેળ

જેને બહુ એસિડિટી થતી હોય એના માટે નારિયેળ પાણી સૌથી બેસ્ટ છે. ગરમીમાં નારિયેળ પાણી પીવાથી એસિડિટીની સમસ્યા દૂર થાય છે. નારિયેળ પાણીમાં ડિટોક્સિફાય ગુણ હોય છે જે તમને રાહત અપાવવાનું કામ કરે છે. આ સાથે જ નારિયેળ પાણીમાં ફાઇબરની માત્રા વધુ હોય છે, જે પેટની સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે.

છાશ

છાશમાં અનેક ગુણો રહેલા છે. છાશ પીવાથી એસિડિટીની સમસ્યામાંથી રાહત મળે છે. જ્યારે તમને બહુ એસિડિટી ઉપડે ત્યારે તમે ઠંડી છાશ પીવો છો તો પેટમાં ઠંડક થાય છે જેના કારણે તમને મોટી રાહત મળી જાય છે.

કેળા

એસિડિટીમાંથી રાહત મેળવવા માટે તમે કેળા પણ ખાઇ શકો છો. કેળામાં રહેલા તત્વો તમારી એસિડિટીની સમસ્યાને દૂર કરે છે. કેળામાં રહેલું પોટેશિયમ પેટમાં વધારાની એસિડિટી બનતી અટકાવે છે, જે શરીરના પીએચ લેવલને ઘટાડે છે.

શક્કરટેટી

ઉનાળામાં દરેક લોકોએ ટેટી ખાવી જોઇએ. ટેટીમાં પાણીની માત્રા વધુ હોય છે જે તમારા શરીરમાં રહેલી પાણીની ઉણપને દૂર કરે છે. ટેટીમાં  એન્ટી ઓક્સિડન્ટસ અને ફાઇબર એસિડ હોય છે જે પેટ સંબંધિત રોગો મટાડે છે. ટેટી ખાવાથી પેટ ઠંડુ રહે છે જેના કારણે બળતરા થતી નથી.

ઠંડુ દૂધ

જ્યારે પણ તમને એસિડિટી થાય ત્યારે ઠંડુ દૂધ પી લો. ઠંડુ દૂધ પીવાથી એસિડિટી તરત બેસી જાય છે.

संबंधित पोस्ट

વિનેગર ડુંગળીના ફાયદા: સરકોવાળી ડુંગળી માત્ર સ્વાદમાં જ વધારો કરતી નથી, તે આ સ્વાસ્થ્ય સમસ્યાઓને પણ દૂર કરે છે.

Pregnancy Planning: આ ત્રણ મહિનામાં ગર્ભવતી થવું સૌથી ખતરનાક, મહિલાઓ રહે સતર્ક

Karnavati 24 News

Health Care: મેથી અને કલોંજીના છે અઢળક ફાયદા, જરૂર વાંચો આ લાભ વિશે…..

Karnavati 24 News

જામનગરમાં વધુ બે દર્દીઓ ઓમિક્રોન વેરિયન્ટ સંક્રમિત ?

Karnavati 24 News

દેશમાં ફરી વધ્યા કોરોના વાયરસના કેસ, છેલ્લા 24 કલાકમાં આવ્યા 2797 કેસ

લાલ મૂળામાં વિટામિન B, A, C, K, B6 આયર્ન, કેલ્શિયમ મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, ફાઇબર જેવા પોષક તત્વો શરીરમાં ઉર્જારૂપી બને છે. તો મૂળો એ ફક્ત સ્વાદિષ્ટ નહિ પરંતુ ગુણકારી પણ છે.

Admin
Translate »