Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

અમિત શાહનું રાજભવનમાં રાજ્યપાલે કર્યુ સ્વાગત, સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન, ગાંધીનગર ખાતે કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનું હાર્દિક સ્વાગત કર્યુ હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને યોજાનારી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં સહભાગી થવા કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ, રાજભવન, ગાંધીનગર ખાતે પહોચ્યા હતા.

સોમનાથ ટ્રસ્ટની મળશે બેઠક

ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને સોમનાથ ટ્રસ્ટની બેઠક મળવાની છે. આ બેઠક માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ નાયબ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણી સહિત વર્તમાન ટ્રસ્ટીઓ બેઠકમાં સામેલ થશે. મહત્વપૂર્ણ છે કે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના નિધન બાદ તેમની જગ્યા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી.

સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં વિકાસ ના વિવિધ કામોને મંજૂરીની આખરી મહોર મારવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સોમનાથ ટ્રસ્ટની છેલ્લા એક વર્ષથી વર્ચુઅલ બેઠક યોજાતી હતી.

આ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટમાં ત્રણ ટ્રસ્ટીઓની ખાલી પડેલી જગ્યા પર નિમણૂંક કરવામાં આવી શકે છે. આ સાથે જ મંદિર પરિસરની આસપાસના વિસ્તારમાં ભક્તો માટે કોરિડોર રૂપ નવનિર્મિત કામોને પણ મંજૂરી મળી શકે છે.

संबंधित पोस्ट

દિલ્હીના એલજીના શપથ પર હર્ષવર્ધન ગુસ્સે: પૂર્વ કેન્દ્રીય મંત્રીને ન મળી ખુરશી, ગુસ્સામાં સમારોહ છોડી દીધો

Karnavati 24 News

ડબલ ટેક્સ સામે સ્થાનિકોનો વિરોધ:ગાંધીનગર પાલિકાના મિલ્કતની ટ્રાન્સફર ફી લેવાના નિણૅય સામે નાગરિકોનો વિરોધ, સ્ટેમ્પ ડ્યુટીની સાથે મિલ્કત વેરો પણ લેવામાં આવતાં કમિશ્નરને રજૂઆત

Karnavati 24 News

 ઓમિક્રૉનના કેસ વધતા 12 રાજ્યમાં ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટી પર રોક

Karnavati 24 News

હવાઈ મુસાફરી કરનારા મુસાફરોની મુશ્કેલીઓ થશે ઓછી, યાત્રીઓ માટે શરૂ કરાઈ આ ખાસ સેવા

Karnavati 24 News

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ટુંક સમયમાં પહોંચશે ગાંધીનગર, વિધાનસભાગૃહને 11 વાગે સંબોધશે

Karnavati 24 News

કોંગ્રેસનાં મંત્રી મહેશ રાજપુતે પોલીસની વાહનમાંથી નામ લખાણ હટવાની ડ્રાઇવ સામે ઉઠાવ્યા સવાલ: કહ્યું ક્યાં કાયદા હેઠળ પોલીસ નામો દૂર કરે છે

Karnavati 24 News
Translate »