લવિંગ પોષક તત્વો અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. લવિંગ સ્વાસ્થ્ય અને સ્કિન માટે જેટલું ફાયદાકારક છે એટલું જ એનું મહત્વ વાસ્તુ અનુસાર પણ ખૂબ રહેલું છે. પૂજા પાઠમાં પણ લવિંગનું મહત્વ ખૂબ રહેલું છે. જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્ર અનુસાર લવિંગના આ ઉપાયો તમારા જીવનમાં ખુશીઓ ભરી દે છે અને તમને અનેક સફળતા અપાવે છે. આ સાથે જ સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓને પણ દૂર કરે છે. તો જાણી લો તમે પણ લવિંગના આ ઉપાયો વિશે…
નકારાત્મક વિચારો દૂર કરવા માટે
સવારમાં ઘરના પૂજા સ્થાન પર દીવામાં 2 લવિંગ નાંખીને પછી આરતી કરો. આનાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સાથે ઘરમાં સુખ-સમુદ્ધિ આવે છે.
બીમારીઓ અને તણાવ દૂર કરવા માટે
તમારા ઘરમાં કોઇ સભ્ય વારંવાર બીમાર પડે છે તો તમે લવિંગનો આ ઉપાય કરો. આ માટે 6-7 લવિંગ લો અને એને ગરમ-ગરમ તવી પર મુકો. ત્યારબાદ એનો ધુમાડો આખા ઘરમાં ફેલાવો અને પછી એક ખુણામાં મુકી દો. દર 2-4 દિવસે આ ઉપાય કરો. આ ઉપાય તમને અનેક બીમારીઓમાંથી બચાવે છે અને સાથે-સાથે તમારા ઘરની નેગેટિવિટીને બહાર ફેંકે છે.
પૈસાની તકલીફ દૂર થાય
ઘણાં લોકોની ફરિયાદ હોય છે કે ખૂબ મહેનત કર્યા પછી પણ જોઇએ એવું ફળ મળતુ નથી. આમ, જો તમારા ઘરમાં પણ પૈસાની તકલીફ પડે છે તો તમે આ બધાથી બચવા માટે 7-7 લવિંગ અને કાળા મરીના દાણા માથા પર ફેરવો અને પછી એકાંત જગ્યામાં જઇને ચારે દિશામાં ફેરવો અને પછી નાંખી દો. ત્યારબાદ પાછું જોયા વગર જ ઘરે આવો. આ ઉપાય કરવાથી પૈસાની તકલીફ દૂર થાય છે અને સાથે જીવનમાં અનેક સફળતા મળે છે.