Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશ

પશુખાણ દાણ સહાય યોજના અંતર્ગત લાભાર્થી ઓ ને સહાયનું વિતરણ

પશુપાલન થકી જિલ્લામાં મહિલાઓ સારી આવક મેળવી શકે તે માટે અભિયાન રૂપે આ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ૧૦ દિવસ માટે પશુપાલક મહિલાઓને બકરી પાલનની તાલીમ આપવામા આવે છે. જેમાં વર્મી કમ્પોસ્ટિંગ ઉપરાંત બેકયાર્ડ કિચન ગાર્ડન કોન્સેપ્ટ પર પ્રાયોગિક નિદર્શન સાથે તાલીમાર્થીઓને શાકભાજીના બીજનું પણ વિતરણ કરવામાં આવે છે. જિલ્લામાં અત્યાર સુધીમાં દેવગઢ બારીયામાં ૨૧૦ અને લીમખેડામાં ૧૫૬૦ મહિલાઓને આ માટેની તાલીમ આપવામાં આવી છે.
જિલ્લામાં ગ્રામ્ય સ્તરે જ પશુઓને પ્રાથમિક સારવાર મળી રહે એ માટે મહિલાઓને પશુસખી તરીકે ની તાલીમ આપવામાં આવી રહી છે. દાહોદનાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને પશુપાલન વિભાગ તેમજ આઇસીઆઇસીઆઇ ફાઉન્ડેશન દ્વારા આ રીતે ૧૯ પશુ સખીઓને તાલીમ આપવામાં આવી છે. તેમજ તેમને પશુઓની પ્રાથમિક સારવાર માટે કીટ પણ આપવામાં આવી છે. કામગીરી ધ્યાને લઇ પશુસખીઓને પ્રોત્સાહક માનદ વેતન પણ આપવામાં આવશે. ઉપરાંત બકરી આરોગ્ય શિબિરોનું વિવિધ ગામો ખાતે આયોજન કરીને ૨૯૪ લોકોએ લાભ લીધો હતો અને ૧૬૨૫ જેટલા પશુઓનું નિ:શુલ્ક નિદાન-સારવાર કરવામાં આવી હતી.

संबंधित पोस्ट

કોઈને જડ્યો હોય તો કહેજો આપણી કૃષિ સંસ્કૃતિમાંથી નંદી ખોવાયો છે

Karnavati 24 News

પાટડીના ધામા ગામમાં માયનોર કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતના ઈસબગુલના પાકને મોટા પાયે નુકશાન

Karnavati 24 News

જામનગરની ભાગોળે યુવાનની હત્યા નીપજાવનાર ત્રણેય આરોપી પકડાયા

Karnavati 24 News

ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જાણો કેટલા કરોડનો થશે ખર્ચ, ગત વખતે કેટલો ખર્ચ કરાયો

Admin

 અમરેલી જિલ્લા પોલીસના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન અમરેલી જિલ્લા જેલની મુલાકાત લેતાં ભાવનગર રેન્જ વડા આઇ.જી.પી. અશોક કુમાર (IPS)

Karnavati 24 News

ભારતમાં રોજના ઓમિક્રૉનના આવી શકે છે 14 લાખ કેસ, સરકારની ચેતવણી

Karnavati 24 News