Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સુરતની કામરેજ સુગર ફેક્ટરીમાં આગ,બગાસના સંગ્રહિત જથ્થામાં આગ લાગતા નાસભાગ,ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો.!

સુરતની કામરેજ સુગર ફેક્ટરીમાં આગની ઘટના,ખુલ્લામાં રાખેલા સંગ્રહિત બગાસના જથ્થામાં લાગી આગ,ગરમીને કારણે આગ લાગી હોવાનું અનુમાન.

રાજ્યમાં હવે ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગરમીને કારણે આગની ઘટનાઓ વધતી જશે,વધુ પડતી ગરમીને કારણે સુરતની કામરેજ સુગર મિલમાં આગનો બનાવ સામે આવ્યો છે,કામરેજ સુગર ફેક્ટરીમાં ખુલ્લી જગ્યામાં મુકવામાં આવેલા બગાસના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી,બગાસના જથ્થામાં આગ લાગતાં બગાસનો જથ્થો બળી ને ખાખ થયો હતો,બગાસના ખુલ્લા ગોડાઉનમાં લાગેલી આગ ગરમીને કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારે આગની ઘટનાને લઈ ત્રણ ફાયર ફાઈટરો ઘટના સ્થળે ઘસી આવ્યા હતા અને બગાસના જથ્થામાં લાગેલી આગ ઉપર સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી,આગને પગલે સદ્ નશીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ આગ લાગતા બગાસનો જથ્થો બળી ને ખાખ થયો હતો,આગ ની ઘટના બનતા સુગર મિલના કર્મચારીઓમાં નાસભાગ મચી હતી ત્યારે સમયસર ફાયર વિભાગને જાણ કરાતાં કામરેજ,ટોરેન્ટ અને કીમ વિભાગના ફાયર ફાઇટરો ઘટના સ્થળે આવી પહોંચતા આગને કાબુમાં લીધી હતી અને મોટી દુર્ઘટના થતાં અટકાવી હતી.

संबंधित पोस्ट

 કાલાવડના નગરપીપળીયા ગામે ટ્રકે ૧૧ કેવીના વીજપોલને ઠોકરે ચડાવી એક લાખની નુકસાની પહોચાડી

Karnavati 24 News

ખેડૂતોની માઠી દશા ! માવઠું પડશે તો શાકભાજીને નુકશાન થશે એવી ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે

Karnavati 24 News

ભરૂચ:નર્મદા ચોકડી ખાતેથી વેપારીને બંધ ક બનાવી જાનથી મારી નાંખવાની ધમકી સાથે હવામાં ફાયરિંગ કરી ૧૫ લાખની લૂંટ ને અંજામ આપી ગેંગ ફરાર થતા ચકચાર

Karnavati 24 News

પાટણ હાઈવે માર્ગ પર આવેલ જિલ્લા માહિતી કચેરી તરફ નાં માગૅ પર સજૉયુ ગંદકી અને કિચડનુ સામ્રાજ્ય…

Karnavati 24 News

દાહોદની શંતકૃપા સત્સંગ પરિવાર દ્વારા દાહોદના સિનિયર સિટીઝન ને સુખ સુવિધા મળી રહે તે માટે નિરંતર સેવા આપવામાં આવી રહી છે

Karnavati 24 News

 દેશમાં અત્યાર સુધી ઓમિક્રૉનના 161 કેસ, 42 દર્દી સ્વસ્થ થયા

Karnavati 24 News