પેશાવરના રોચા રિસાલદાર વિસ્તારમાં કિસ્સા ખ્વાની બજાર સ્થિત એક મસ્જિદમાં જુમ્માની નમાઝ દરમિયાન બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા હતા અને 50થી વધારે લોકો ઘાયલ થયા છે. આ આંકડો વધી શકે છે અને આ એક આત્મઘાતી હુમલો હતો. હુમલામાં 2 સુરક્ષા કર્મીના મોતના પણ સમાચાર છે.
બચાવ દળ ઘાયલોને લેડી રીડિંગ હોસ્પિટલ લઇ જઇ રહ્યા છે જ્યારે સ્થાનિક લોકો પણ ઘાયલોને હોસ્પિટલ લઇ જવામાં મદદ કરી રહ્યા છે. જિયો ન્યૂઝે જણાવ્યુ કે પોલીસ અને સુરક્ષા ટીમોએ વિસ્તારની ઘેરાબંધી કરી પુરાવા ભેગા કરવાના શરૂ કરી દીધા છે. લેડી રીડિંગ હોસ્પિટલના પ્રવક્તાનું કહેવુ છે કે 10 ઘાયલની સ્થિતિ ગંભીર છે.
આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઇએ લીધી નથી. રાવલપીડિંથી પેશાવરનું અંતર 190 કિલોમીાટર છે. રાવલપિંડીમાં અત્યારે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આત્મઘાતી હુમલા બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનના પેશાવરમાં બ્લાસ્ટ થતા મૃત્યુઆંક વધવાની શક્યતા છે. હોસ્પિટલમાં ઘાયલ દર્દીઓને પહોચાડવામાં આવી રહ્યા છે.