Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

પાકિસ્તાન: પેશાવરની મસ્જિદમાં જુમ્માની નમાઝ દરમિયાન આત્મઘાતી હુમલો, 30 લોકોના મોત, 50થી વધારે ઘાયલ

પેશાવરના રોચા રિસાલદાર વિસ્તારમાં કિસ્સા ખ્વાની બજાર સ્થિત એક મસ્જિદમાં જુમ્માની નમાઝ દરમિયાન બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત થયા હતા અને 50થી વધારે લોકો ઘાયલ થયા છે. આ આંકડો વધી શકે છે અને આ એક આત્મઘાતી હુમલો હતો. હુમલામાં 2 સુરક્ષા કર્મીના મોતના પણ સમાચાર છે.

બચાવ દળ ઘાયલોને લેડી રીડિંગ હોસ્પિટલ લઇ જઇ રહ્યા છે જ્યારે સ્થાનિક લોકો પણ ઘાયલોને હોસ્પિટલ લઇ જવામાં મદદ કરી રહ્યા છે. જિયો ન્યૂઝે જણાવ્યુ કે પોલીસ અને સુરક્ષા ટીમોએ વિસ્તારની ઘેરાબંધી કરી પુરાવા ભેગા કરવાના શરૂ કરી દીધા છે. લેડી રીડિંગ હોસ્પિટલના પ્રવક્તાનું કહેવુ છે કે 10 ઘાયલની સ્થિતિ ગંભીર છે.
આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઇએ લીધી નથી. રાવલપીડિંથી પેશાવરનું અંતર 190 કિલોમીાટર છે. રાવલપિંડીમાં અત્યારે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાઇ રહી છે. આત્મઘાતી હુમલા બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનના પેશાવરમાં બ્લાસ્ટ થતા મૃત્યુઆંક વધવાની શક્યતા છે. હોસ્પિટલમાં ઘાયલ દર્દીઓને પહોચાડવામાં આવી રહ્યા છે.

संबंधित पोस्ट

1 ઓક્ટોબરથી માત્ર આ લોકોને જ મળશે વીજળી સબસિડી, આ ત્રણ રીતે કરો અરજી નહીં તો તમારે આખું બિલ ચૂકવવું પડશે.

Karnavati 24 News

મોટી ટેક કંપનીઓ કર્મચારીઓને નોકરી પરથી કરી રહી છે છૂટા, જાણો શું છે કારણ

Admin

DRDOમાં 1248 વૈજ્ઞાનિકોની થશે ભરતી, ખાલી જગ્યા જલ્દી ભરવામાં આવશે

Karnavati 24 News

માતાજીની માનતા પુરી કરી પરત ફરેલા લોકોને નડ્યો અકસ્માત,ધારીના ધારગણી નજીક કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતા 1 નું મોત : 5 લોકોને નાની-મોટી ઇજા

Karnavati 24 News

જ્ઞાનવાપી પર આજે નવા કેસની સુનાવણી: વિશ્વ વૈદિક સનાતન સંઘની માંગ – મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો જોઈએ;

Karnavati 24 News

1 જાન્યુઆરીથી થશે આ મોટા બદલાવ, ATMમાંથી કેસ કાઢવાથી લઇને કપડા ખરીદવાનું થશે મોંઘુ

Karnavati 24 News