Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતતાજા સમાચારરાજ્ય

રાજકોટના ડેપ્યુટી મેયર ડૉ. દર્શીતાબેન શાહે મહિલાઓને શું કરી અપીલ ?

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે અને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની તારીખ પણ જાહેર કરી દીધી છે ત્યારે દરેક રાજકીય પક્ષ દ્વારા પ્રચાર તેજ ગતિથી શરુ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ખાસ રણનીતિ તૈયાર કરી હોય તેવું ખાસ નજરે આવી રહ્યું છે. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી વધુ ને વધુ બેઠકો જીતવાનો પ્રયત્ન કરી રહી છે.

રાજકોટ એ સૌરાષ્ટ્રનું કેન્દ્ર છે અને રાજકોટ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. હાલ રાજકોટની ચારેય બેઠક પર ભારતીય જનતા પાર્ટીની જ સીટ છે. આગામી સમયમાં રાજકોટની તમામ બેઠકો પર રસાકસીનો જંગ જોવા મળશે. રાજકોટમાં પશ્ચિમ બેઠક પર જે ઉમેદવારોના નામની ચર્ચા થઇ રહી છે તેવામાં એક ડેપ્યુટી મેયર ડૉ. દર્શિતાબેન શાહ પણ છે તેને રાજકોટની મહિલાઓને એક અપીલ કરી છે શું છે આપીલ અને શા માટે આ અપીલ કરવામાં આવી છે તેની ચર્ચા પણ થઇ રહી છે.

દર્શિતાબેન શાહનો પરિવાર વર્ષોથી સંઘ સાથે જોડાયેલો છે. દર્શિતાબેન શાહ ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનની અનેક જવાબદારી નિભાવી છે તેમજ મહિલા મોર્ચાના પણ તેઓ સભ્ય છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત માટે દર્શિતાબેન શાહે કમર કસી લીધી છે. દર્શિતાબેન શાહે કહ્યું હતું કે રાજકારણમાં પરિવારનો સાથ ખુબ જરૂરી છે અને મને અત્યાર સુધી ઘણો બધો સહકાર પરિવાર તરફથી મળી રહ્યો છે. દર્શિતાબેન શાહનો પરિવાર તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલ છે અને પોતે એક સ્ત્રી હોવા છતાં પણ પરિવાર અને રાજકારણની જવાબદારી સારી રીતે નિભાવી રહ્યા છે. રાજકારણની સાથે પરિવાર પણ વ્યસ્થિત રીતે સાંભળી રહેલા દર્શિતાબેન શાહ બીજી મહિલાઓ માટે પણ પ્રેરણા પૂરું પડી રહ્યા છે અને એક અલગ સંદેશો આપી રહ્યા છે અને આ સાથે એક અપીલ પણ કરી છે કે દેશને વિકાસશીલ બનાવવા માટે મહિલાઓએ પણ રાજનીતિમાં આગળ આવવું જોઈએ.

संबंधित पोस्ट

આરોગ્ય કર્મચારીઓ અને સરકાર વચ્ચે સમાધાન થતાંઅચોક્કસ મુદ્દતની હડતાળ સમાપ્ત

Gujarat Desk

કેન્દ્રીય ગૃહમંત્રીમંત્રીશ્રી અમિત શાહે મહારાષ્ટ્રના પુણેમાં પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 27મી બેઠકની અધ્યક્ષતા કરી

Gujarat Desk

એસીબીમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા 1991ની બેચના IPS ડો. શમશેર સિંહને BSFમાં નિમણૂંક કરવામાં આવી

Gujarat Desk

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ટીબીના દર્દીઓ માટે આરોગ્ય વિષયક સેમિનાર યોજાયો

Gujarat Desk

ઈદ, પરશુરામ જયંતિ: તહેવારો પહેલા અમદાવાદમાં 5000 પોલીસ તૈનાત

અમદાવાદ ના મેમનગરમાં બેફામ કારચલકે એક સાથે 5-6 વાહનોને અડફેટે લીધા; 2 લોકો ઇજાગ્રસ્ત

Gujarat Desk
Translate »